કચ્છઃ દેશમાં મહાપુરુષોની પ્રતિમાં ખંડિત કરવાનો વિકૃત સિલસિલો આગળ વધી રહ્યો. ત્યારે આજે કચ્છના અંજારના ભીમાસર ગામે પંચાયત કચેરીમાં આવેલી બાબા સાહેની પ્રતિમાં પર કોઈ વિકૃત શખ્સે જૂતાનો હાર પહેરાવી જતાં દલિત સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે.
રાત્રિના અંઘકારમાં બનેલી આ ઘટનાની જાણ બીજા દિવસે સવારે થઈ. જેમ જેમ ઘટનાની જાણ થતી ગઈ તેમ તેમ લોકો એકઠા થવા લાગ્યા. અપમાનની ઘટનાથી નારાજ દલિત સમાજે આરોપી ન પકડાય ત્યાં સુધી પ્રતિમા પરથી હાર ઉતારવાનો ઈનકાર કર્યો. જો કે પોલીસે 24 કલાકમાં કાર્યવાહીની ખાતરી આપતાં દલિત સમાજે હાલ પૂરતો પોતાનો આક્રોશ શમાવી રાખ્યો છે.
હજુ હમણા જ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની 123મી જન્મ જયંતીની સમગ્ર રાષ્ટ્રએ જોરશોરથી ઉજવણી કરી. પરંતુ તે પછી રાજ્ય અને રાજ્ય બહાર બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવા આખેઆખી પ્રતિમાં ગુમ કરી દેવા કે પછી પ્રતિમા સાથે વિકૃત છેડછાડ કરવા જેવી ઘટનાઓનો સભ્ય સમાજને શર્મસાર કરતો સિલસિલો આગળ વધતો રહ્યો. હજુ ગત દિવસોમાં રાજકોટના રાજનગર ચોકડી પર બાબા સાહેબની આખે આખી પ્રતિમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા ઉઠાવી જવામાં આવી હતી.
ધટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા વિરોધ માટે