દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે જો કેન્દ્ર સરકાર પૂરતો સપ્લાય પૂરો પાડે તો 3 મહિનામાં આખી દિલ્હીને વેક્સિન આપી દઈશું.
સપ્લાય મળે તો 3 મહિનામાં દિલ્હીના બધા લોકોને રસી આપી દઈશું-કેજરીવાલ
રાજધાની દિલ્હીમાં કોરોના નબળો પડ્યો હોવાનો સંકેત
એક દિવસમાં 2000 કેસો ઘટ્યાં
પોઝિટિવીટી રેટ પણ 24.29 ટકા રહ્યો
કોરોનાથી મરનાર લોકોની સંખ્યા પણ ઘટી
700 મેટ્રિક ટન ઓક્સિજન મળે તો એક પણ મોત નહીં થવા દઈએ-કેજરીવાલ
કેન્દ્ર સરકાર તરફથી આજે 730 મેટ્રિક ટન ઓક્સિજન મળ્યાં બાદ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે જો કેન્દ્ર સરકાર રોજનો 700 મેટ્રિક ટન ઓક્સિજન આપે તો દિલ્હીમાં કોરોનાના એક પણ દર્દીનું મોત નહીં થવા દઈએ.
9000-9500 બેડ ઉપલબ્ધ કરી શકીશું
કેજરીવાલે જણાવ્યું કે આટલા ઓક્સિજનથી અમે દિલ્હીમાં 9000-9500 બેડ ઉપલબ્ધ કરી શકીશું. અમે ઓક્સિજન બેડ પૂરા પાડી શકીશું. હું તમને ખાતરી આપું છું કે જો અમને રોજનો 700 મેટ્રિક ટન ઓક્સિજન મળશે તો અમે કોરોનાથી કોઈને પણ મરવા નહીં દઈએ. કેજરીવાલે જણાવ્યું કે હું દરેકને હાથ જોડીને વિનંતી કરુ છું કે દિલ્હીનો ઓક્સિજન સપ્લાય ઓછો ન થવા દેતા.
દિલ્હીને મળ્યો 730 મેટ્રિક ટન ઓક્સિજન
કેન્દ્ર સરકારે દિલ્હીને આજે 730 મેટ્રિક ટન પૂરો પાડતા સીએમ અરવિંદ કેજરીવાલે મોદી સરકારનો આભાર માન્યો છે. કેજરીવાલે સરકાર અને કોર્ટનો આભાર માનતા જણાવ્યું કે આટલા ઓક્સિજનથી ઘણા લોકોના જીવ બચી જશે.
દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 19,133 જેટલા કેસો નોંધાયા છે તથા 335 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના કેસોમા લગભગ 2000 જેટલો ઘટાડો નોંધાયો છે.દિલ્હીનો પોઝિટિવીટી રેટ પણ 24.29 ટકા રહ્યો છે. છેલ્લા લગભગ 9 દિવસથી પોઝિટિવીટી રેટમાં ઘટાડો આવી રહ્યો છે. મહામારી નિષ્ણાંતોએ જણાવ્યું કે હવે દિલ્હીનો ગ્રાફ ધીરે ધીરે નીચે આવી રહ્યો છે. જો આગામી થોડા સમય સુધી આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો દિલ્હી વહેલી તકે કોરોના મુક્ત બનશે.
છેલ્લા 9-10 દિવસમાં પોઝિટિવીટી રેટમાં સતત ઘટાડો
27 એપ્રિલે દિલ્હીમાં પોઝિટિવીટી રેટ 32.7 ટકા, 28 એપ્રિલે 31.8 ટકા, 29 એપ્રિલે પોઝિટિવીટી રેટ 32.8 ટકા, 30 એપ્રિલે 32.7 ટકા, 2 મેએ 28.3 ટકા, 3 મેએ 29.6 ટકા, 4 મેએ 26.7 ટકા અને 5 મેએ 26.4 ટકા નોંધાયો હતો. છેલ્લા 9-10 દિવસમાં દિલ્હીમાં પોઝિટિવીટી રેટમાં સતત ઘટાડો આવી રહ્યો છે.
મોતની સંખ્યા પણ 400 થી ઓછી થઈ
દિલ્હીમાં મોતનો આંકડો પણ 400 થી ઓછો થયો છે. 4 મેએ દિલ્હીમાં કોરોનાને કારણે 338 લોકોના મોત થયા જ્યારે 5 મે ના દિવસે 311 લોકોના મોત થયા.નિષ્ણાંતોએ જણાવ્યું કે આગામી 10 થી 15 દિવસમાં હજુ પણ મોત અને કેસોની સંખ્યામાં ઘટાડો આવશે.