જો તમે પણ વાયનાડ ફરવા ઇચ્છતા હો તો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ તમારા માટે એક બેસ્ટ ટુર પેકેજ લાવ્યુ છે. આ ટુર પેકેજ હેઠળ તમે 7 હજારમાં વાયનાડના વિવિધ ડેસ્ટીનેશનની મુલાકાત લઇ શકો છો.
કેરળને ગોડ્સ ઓન કન્ટ્રી કહેવાય છે. અહીં દેશ અને દુનિયાભરના પર્યટકો ફરવા પહોંચી જાય છે. કેરળમાં ફરવા માટે ઘણું બધુ છે, પરંતુ તેમાં પણ વાયનાડની વાત જ અલગ છે. પહાડો, ટી-એસ્ટેટ, કોફી પ્લાન્ટેશનના કારણે આ જગ્યા વધુ સુંદર બની જાય છે. જો તમે પણ વાયનાડ ફરવા ઇચ્છતા હો તો આઇઆરસીટીસી એક સારું ટુર પેકેજ લાવ્યુ છે. ત્રણ રાત અને ચાર દિવસના આ ટુર પેકેજનું નામ વંડરફુલ વાયનાડ ફ્રોમ ચેન્નાઇ રાખવામાં આવ્યુ છે.
આઇઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટ પર તેની જાણકારી આપવામાં આવી છે. આ ટુર પેકેજમાં યાત્રીઓએ સ્લિપર ક્લાસમાં વાયનાડ સુધીની સફર કાપવી પડશે. વાયનાડમાં 2 નાઇટ એસી આવાસમાં સ્ટે, એસી વાહના દ્વારા ફરવાની સુવિધા અપાશે. સાથે સાથે કાર્યક્રમ અનુસાર તમામ દર્શનીય સ્થળોનું ભ્રમણ અને યાત્રા આ ટુર પેકેજમાં સામેલ છે. 30 જાન્યુઆરી 2020 થી પ્રત્યેક ગુરુવારે ટ્રેન ચેન્નાઇ રેલ્વે સ્ટેશનથી સાંજે પાંચ વાગે ખુલશે.
આ ટુરમાં તમને પઝાસી રાજા મકબરા, કુરવા દ્રીપ, તિરુનેલી મંદિર, બાણાસુર સાગર, મુથાંગા વન્યજીવ અભ્યારણ્ય, અંબાલાવયાલ હેરિટેજ મ્યુઝિયમ, એડાક્કલ ગુફાઓ, સુચિપારા ઝરણા, પુકોડ ઝીલ, લક્કીડી વ્યુ પોઇન્ટ, તુશાગિરી ઝરણા જેવા ટુરિસ્ટ ડેસ્ટીનેશન ફરવાનો મોકો મળશે. ટુર પેકેજનું ભાડુ ટ્વીન શેરિંગ માટે તમારે પ્રતિ વ્યક્તિ 7,330 રુપિયા ખર્ચવા પડશે. ટ્રિપલ શેરિંગ માટે તમારે પ્રતિ વ્યક્તિ 6830 રુપિયા ખર્ચવા પડશે. જો તમારી સાથે બાળકો હશે તો બેડ વગર તમારે પ્રતિ વ્યક્તિ 5100 રુપિયા અને બેડ લેશો તો પ્રતિ વ્યક્તિ 6,210 રુપિયા ખર્ચવા પડશે.