કાબુલી ચણા હોય કે દેશી ચણા આપણાં સ્વાસ્થ્ય માટે બંને ખૂબ જ ગુણકારી છે. જેમાં છોલે તો ઘરમાં ઘરમાં બનતાં જ હોય છે. લોકો ચણાને જે પાણીમાં પલાળે છે તેને સવારે ફેંકી દેતાં હોય છે. તો હવેથી તમે આ પાણી નહીં ફેંકો, કેમ કે અમે તમને આ પાણી સવારે ગાળીને પી લેવાથી જબરદસ્ત ફાયદાઓ મળે છે. તેમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટસ હોવાથી તે અનેક રીતે ફાયદા આપે છે. જેના વિશે આજે અમે તમને જણાવી રહ્યાં છે.
સૌથી પહેલાં તો રાતે કાબુલી ચણા પલાળો તો તેને સરખી રીતે 3-4 પાણીમાં ધોઈને પલાળો, જેથી સવારે તેનું પાણી ચોખ્ખું હોય અને તમે તેને ગાળીને પી શકો.
રાતે પલાળેલા ચણાનું પાણી પીવાથી શરીરને પ્રોટીન મળી રહે છે. આ પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છએ.
કાબુલી ચણાનું પાણી પીવાથી કેન્સર સામે રક્ષણ મળે છે. તે બોડીમાં કેન્સર સેલ્સને બનતા રોકે છે.
પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે રોજ કાબુલી ચણાનું પાણી પીવું ફાયદાકારક છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ચણાનું પાણી લાભકારી છે. તેને પીવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.
હાડકાંઓને મજબૂત અને હેલ્ધી રાખવા માટે તમે સપ્તાહમાં બે-3 વાર કાબુ ચણાનું પાણી પીવો. આનાથી ફાયદો થશે.
આ સિવાય કાબુલી ચણા એન્ટી એજિંગનું પણ કામ કરે છે. તેનું પાણી પીવાથી સ્કિન હેલ્ધી અને યંગ રહે છે. વધતી ઉંમરની અસર ઓછી દેખાય છે.
કાબુલી ચણા હાર્ટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેને ડાયટમાં તો સામેલ કરવા જ જોઈએ, સાથે જ તેનું પાણી પીવાથી હાર્ટના રોગો સામે રક્ષણ મળે છે.
વાળને હેલ્ધી રાખવા માટે પણ કાબુલી ચણા ખૂબ જ ફાયદાકારક છે. તેના પાણીનું સેવન કરવાથી વાળ હેલ્ધી અને મજબૂત બને છે.
કાબુલી ચણા ડાયટમાં સામેલ કરવાથી અથવા તેનું પાણી પીવાથી આંખોને પણ લાભ થાય છે. તેનાથી આંખો હેલ્ધી રહે છે.
શરીરમાં સોજા અને દુખાવાની સમસ્યા રહેતી હોય તો ડાયટમાં કાબુલી ચણાનું સેવન શરૂ કરી દો. આ સિવાય તેનું પાણી પીવાથી પણ આ સમસ્યા દૂર થઈ જાય છે.