કોંગ્રેસના ગઢ અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવનાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રવિવારે વિસ્તારના પૂર્વ સાંસદ પર આકરા પ્રહાર કર્યાં હતા. સ્મૃતિ ઇરાનીએ કહ્યું 2014ની ચૂંટણીમાં મારી હાર થઇ તેમ છતાં મને અમેઠીના લોકોએ ત્રણ લાખ મત આપ્યા હતા.
જેના કારણે મને લાગ્યું કે આ વિસ્તારના લોકોને કંઇક તો મુશ્કેલી છે અને તેઓને મારી મદદની જરૂરીયાત છે. આ દરમિયાન સ્મૃતિ ઇરાનીએ અમેઠીમાં કયા કારણથી તેમને જીત મળી તે અંગે પણ ખુલાસો કર્યો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે મે મતદારોને કયારેય વોટ બેન્ક સમજ્યા નથી અને એ જ મારી જીતનું મુખ્ય કારણ રહ્યું છે.
સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાન
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું કે, જ્યારે લોકો પાસે ખાવનું ન હોય ત્યારે તમે તેના સહારે ઉભા થઇને વડાપ્રધાન બની જાઓ, મને તેવું ગમતું નથી. મે 2014માં જોયું કે અમેઠી સંસદીય વિસ્તારના લોકો ભારે મુશ્કેલીમાં છે.
ચૂંટણીમાં હાર થઇ હોવા છતા મને ત્રણ લાખથી વદુ મત મળ્યાં. જેને લઇને મે વિચાર્યું કે અહીના લોકોને કાંઇક તો મુશ્કેલી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ દેવી એવોર્ટ વિતરણ સમારોહમાં આ અંગે જણાવ્યું.
અમેઠીના લોકોને વોટ બેંક સમજ્યા નથીઃ સ્મૃતિ ઇરાની
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે પાંચ વર્ષ પહેલા 2014માં ચૂંટણી હાર્યા બાદ 2019માં કેવી રીતે જીતી ગયા. સ્મૃતિ ઇરાનીએ 2014ની ચૂંટણીમાં મળેલી જીતનો શ્રેય 3 લાખથી વધારે મતદારનો આપતાં કહ્યું કે 2014માં મળેલા મત એ વાતનો સંકેત હતો કે લોકોને મારી મદદની જરૂરીયાત છે. હું તેમને એકલા છોડવા માંગતી નહોતી.