રક્ષાબંધનના પર્વ નિમિત્તે AMTSએ મહિલાઓ માટે લીધો મહત્વનો નિર્ણય. આવતીકાલે મહિલાઓ બસમાં બિલકુલ ફ્રીમાં મુસાફરી કરી શકશે.
રક્ષાબંધનના દિવસે AMTSની મહિલાઓને ભેટ
મહિલાઓ બસમાં કરી શકશે ફ્રીમાં મુસાફરી
10 વર્ષ સુધીના બાળકો પણ ફ્રી મુસાફરી કરી શકશે
આવતીકાલે ગુરૂવારના તારીખ 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પર્વ છે. ત્યારે રક્ષાબંધનના દિવસે ભાઇના હાથે બાંધવામાં આવતી રાખડી એ ભાઈ-બહેનના અતૂટ પ્રેમની નિશાની છે. ત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાને રાખતા AMTSએ મહિલાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.
10 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરી કરવા દેવાનો નિર્ણય
રક્ષાબંધનના દિવસે મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે તે પ્રકારે AMTSએ મહત્વની જાહેરાત કરી છે. રક્ષાબંધનના પર્વ પર મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. એ સિવાય 10 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરી કરવા દેવાનો AMTSએ નિર્ણય લીધો છે. જો કે, બીજી બાજુ બસમાં કેટલી મહિલાઓ બેસી શકશે તેની હજુ સુધી કંઇ સ્પષ્ટતા નથી કરાઇ.
મહત્વનું છે કે, અગાઉ રક્ષાબંધનના પર્વ માટે અડધી ટિકિટની જાહેરાત કરાઈ હતી. જ્યારે અંતે AMC દ્વારા આ નિર્ણય બદલી રક્ષાબંધનના દિવસે મહિલાઓ માટે બસમાં ફ્રી મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.
ગત વર્ષે 2.90 લાખની આવક થઇ હતી
કોરોના મહામારીના કારણે વર્ષ 2020-21નું રક્ષાબંધન પર્વ ભારે ફિક્કું બન્યું હતું. તે વર્ષે તંત્રે રોડ પર માત્ર 352 બસ મૂકાઇ હતી અને માત્ર 1063 બાળકો અને 5178 મહિલાઓએ ક્રમશઃ રૂ. પાંચ અને રૂ. 10ની ટિકિટનો લાભ લીધો હતો. વર્ષ 2020-21 ના રક્ષાબંધને ફક્ત ૪૨ હજાર મહિલા-બાળકોએ મુસાફરી કરતા તંત્રને રૂ. 2.90 લાખની આવક થઈ હતી.જ્યારે ગત નાણાકીય વર્ષ 2021-22ની 22 ઓગસ્ટે આવેલા રક્ષાબંધને કોરોના ઓછો છતાં તંત્રે ૫૫૮ બસ રોડ પર મૂકતાં ૪૧૯૮ બાળકો અને ૨૦,૪૦૨ મહિલાઓએ તેનો લાભ લીધો હતો. તે દિવસે કુલ રૂ. ૨.૬૯ લાખ મહિલાઓથી તંત્રને રૂ. 10.95 લાખનો વકરો થયો હતો તેમ ચેરમેન વલ્લભ પટેલ વધુમાં જણાવે છે.
AMC દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના પણ શરૂ કરાઇ છે
એ સિવાય બીજી બાજુ હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે AMTSએ ધાર્મિક યાત્રા પણ શરૂ કરી છે. કારણ કે, શ્રાવણ માસમાં લોકો મંદિરોમાં વિશેષ દર્શનનો લ્હાવો લેતા હોય છે. આથી, આ યોજનાના ભાગરૂપે હાલમાં અમદાવાદ અને ગાંધીનગરનાં 23 જેટલા અલગ-અલગ મંદિરોમાં પ્રવાસીઓને દર્શન કરાવવામાં આવી રહ્યાં છે.