આજના સમયમાં થાયરૉઇડની સમસ્યા ઘણા લોકો ગંભીર બનતી જઇ રહી છે. થાઇરૉઇડમાં વજન વધવા સાથે હોર્મોન અસંતુલીત બને છે. એક અભ્યાસ મુજબ, પુરુષોની તુલનામાં મહિલાઓમાં થાઇરૉઇડ દસ ગણું વધારે થાય છે. જેનું મુખ્ય કારણ મહિલાઓમાં ઑટોમ્યૂન્યૂનની સમસ્યા વધારે હોય છે.
એસઆરએલ ડાએગ્રોસ્ટિક્સની રિપોર્ટ અનુસાર, 20 ટકા મહિલાઓને થાયરૉઇડ એન્ટીબૉડીઝ માટે પોઝિટીવ જોવા મળી જયારે પુરુષોમાં આ સંખ્યા 15 ટકા જોવા મળી હતી. 31થી 45 ઉંમરના 18 ટકા વસ્તીમાં થાઇરૉઇડ એન્ટીબોડીઝ માટે પોઝિટિવ જોવા મળ્યું છે. ઉત્તરી ભારતમાં સૌથી મોટી સંખ્યામાં લોકો થાઇરૉઇડ એન્ટીબોડીઝ માટે પોઝિટિવ જોવા મળ્યા છે.
થાયરૉઇડ ડિસઓર્ડરની અસર થાઇરૉઇડ ગ્રંથિ પર પડે છે. જે એડમ્સ એપ્પલની નીચે ગરદરનની સામે વાળા ભાગમાં સ્થિત પતંગિયા આકારનું અંગ છે. થાઇરૉઇડ ગ્રંથિ દ્વારા બનાવવામાં આવેલ અને સંગ્રહિત કરેલા હોર્મોન્સ શરીરના વિભિન્ન અંગોની કાર્યપ્રણાલીને પ્રભાવિત કરે છે. આ હોર્મોન શરીરની મેટાબોલિક રેટ, હૃદય અને પાચનતંત્રની કાર્યપ્રણાલી, મગજનો વિકાસ, માંશપેશિયોનું નિયંત્રણ, હાડકાની રક્ષા અને વ્યક્તિના મૂડને પ્રભાવિત કરે છે.
આયોડીન લેવલ કરો મેન્ટેન
આયોડીનની કમીને કારણે થાઇરૉઇડની સમસ્યા ઉત્પન્ન થાય છે. ઉંમર વધવા સાતે મહિલાઓમાં આ સમસ્યા જોવા મળતી હોય છે. સી ફૂડ, ક્રૂસિફેરસ શાકભાજી જેવી આયોડીન યુક્ત પદાર્થોનું સેવન કરવું.
પ્રોસેસ્ડ ફૂડથી દૂરી બનાવવી
પ્રોસેસ્ડ ફૂડને સંતુલિત આહારમાં સામેલ ન કરી શકાય. જે ખાદ્ય પદાર્થોમાં ખાંડ, કૃત્રિમ સ્વાદ અને સ્વીટ હોય તેનો ત્યાગ કરવો જોઇએ. સાથે જ કાર્બ રહીત અથવા ઓછા કાર્બ્સ વાળા ખાદ્ય પદાર્થોના સેવન કરવાતી બચવું જોઇએ.
સંતુલિત આહાર
થાઇરૉઇડને સ્વસ્થ્ય બનાવવા માટે સંતુલિત આહાર સૌથી વધારે જરૂરી છે. આંતરડામાં સોજો થાઇરૉઇડની સમસ્યાઓનું કારણ બની શકે છે. આ રીતે કોઇપણ સમસ્યાને રોકવા માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે. પ્રતિદિન બેથી ત્રણ પ્રકારની શાકભાજી અને ફળોનું સેવન જરૂર કરવું જોઇએ.