રાજકોટની પ્લેકસેસ હોસ્પિટલમાં એક મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. પ્લેકસેસ હોસ્પિટલનાં ડૉક્ટરની ગંભીર બેદરકારીનાં પરિવારજનોએ આક્ષેપ લગાવ્યાં છે. જ્યારે આ મામલે ડૉક્ટરે નિવેદન આપતા જણાવ્યું કે હૃદયમાં વાલ્વની બિમારીથી મહિલાનું મોત થયું છે.
જ્યારે પરિવારજન કહે છે કે ડૉક્ટરની બેદરકારીથી મહિલાનું મોત નિપજ્યું છે. જેને લઇને દર્દીનાં સંબંધીઓએ બેનરો સાથે હોસ્પિટલમાં વિરોધ કર્યો છે. મૃતક મહિલાનાં પરિવારજનો હોસ્પિટલની બહાર ધરણાં પર બેસી ગયાં છે.
ઉલ્લેખનીય છે કે હોસ્પિટલની ગંભીર બેદરકારીનાં આવા ઘણાં ખરાં કિસ્સાઓ સામે આવતા જ હોય છે. તેમજ ડૉક્ટર તો ભગવાનનું રૂપ કહેવાય છે કે જેઓ લોકોને નવી જીંદગી આપવાનું કામ કરે છે. ત્યારે રાજકોટમાં તો ડૉક્ટરની ગંભીર બેદરકારીને લીધે મહિલા દર્દીનું મોત થયું હોવાનું તેનાં પરિવારજનોએ આક્ષેપ લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે.
ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ ઘટનામાં ડૉક્ટર કેટલે અંશે જવાબદાર છે. શું આ મોત એ ખરેખર વાલ્વની બીમારીને કારણે થયું છે કે પછી આની પાછળ જવાબદાર છે ડૉક્ટરની ગંભીર બેદરકારી.
#Rajkot ની #plexushealth#Hospital માં મહિલાનું સારવાર દરમિયાન મોત
પરિવારજનોની પ્લેકસેસ હોસ્પિટલના ડૉક્ટરની બેદરકારીના આક્ષેપ
હૃદયમાં વાલ્વની બિમારીથી મહિલાનુ મોત થયુ
દર્દીના સંબંધીઓએ બેનરો સાથે હોસ્પિટલમાં કર્યો વિરોધ
પરિવારજનો #Hospital ની બહાર ધરણા પર બેઠા pic.twitter.com/HyZ5geTmSC