અમદાવાદમાં મહિલા કેદીઓને VTVGujarati.Comની સલામ છે. સાબરમતી સેન્ટ્રલ જેલની મહિલા કેદીઓ જેલમાં સેનેટરી પેડ બનાવે છે. VTVGujarati.Com દ્વારા #LaalNisShaan અભિયાન શરૂ કરવામાં આવ્યું જેના અંતર્ગત માસિકધર્મને લગતી પ્રતાડનાઓ અને સામાજીક અભિગમમાં ઘર કરી ગયેલી રૂઢીઓને દૂર કરવાનો પ્રયાસ માત્ર છે. આજે વાત કરવાની છે એવી મહિલા કેદીઓની જે શાળા કોલેજોમાં પિરિયડસને કારણે ડ્રોપઆઉટ રેશિયો વધી જાય છે તેવી વિદ્યાર્થીઓ માટે આ પેડ આશીર્વાદ સમાન છે.
સાબરમતી જેલમાં મહિલા કેદીઓએ બનાવેલા સેનેટરીપેડ શાળાઓમાં પહોંચ્યા છે
શું છે પ્રોજેક્ટનો ઉદ્દેશ?
ખાસ તાલિમ આપવામાં આવી
અમદાવાદમાં મહિલા કેદીઓ સેનેટરી પેડ બનાવે છે જે અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે. મહિલા કેદીઓ દ્વારા આ પ્રયાસ ખરેખર સમાજની આંખો ઉઘાડનારો છે. જે વિષય ઉપર લોકો વાત કરતા પણ અચકાય છે ત્યારે અમદાવાદની પેડમેન વુમેન ખરેખર આ રીતે પોતાનું યોગદાન આપી સમાજના ઉત્થાનમાં પોતાનો હિસ્સો નોંધાવી રહી છે.
જેલ ઉદ્યોગો ‘નહિ નફો નહિ નુકશાન’ના ધોરણે પડતર કિંમત ઉપર ફકત 10 નફો લઇ ચલાવવામાં આવે છે
અમદાવાદ મહિલા જેલ ખાતે મહિલા બંદીવાનોને કર્મા ફાઉન્ડેશન તથા નવજીવન ટ્રસ્ટ, અમદાવાદના સહયોગથી સેનેટરી નેપકીન બનાવવાની તાલીમ-સહ-ઉત્પાદનના ધોરણે રોજગારી આપવામાં આવી રહી છે. જેલ ઉદ્યોગો ‘નહિ નફો નહિ નુકશાન’ના ધોરણે પડતર કિંમત ઉપર ફકત 10 નફો લઇ ચલાવવામાં આવે છે. જેલ ઉત્પાદનના વેચાણ દ્વારા ઊભી થનાર આવક સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવે છે.
ખાસ તાલિમ આપવામાં આવી
મહિલા કેદીઓને આ અંગે ખાસ તાલિમ આપવામાં આવી છે. રૂા. 4 લાખથી વધુના ખર્થના આ પ્રોજેક્ટથી પિરિયડસમાં હેરાન થતી વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ માટે આ પ્રોજેક્ટ આર્શીવાદ સમાન છે.
સાબરમતી જેલમાં મહિલા કેદીઓએ બનાવેલા સેનેટરીપેડ શાળાઓમાં પહોંચ્યા છે.
અમદાવાદની સાબરમતી જેલની મહિલા કેદીઓએ તૈયાર કરેલા સેનેટરી નેપકીન સ્કૂલોમાં આપવામા આવશે. અમદાવાદ જીલ્લા પંચાયતનાં ડીડીઓ ગ્રાન્ટમાંથી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. શાળાઓમાં થતો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સરકારે પ્રયત્ન શરૂ કર્યો છે. અમદાવાદની 160 શાળાઓમાં છોકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સેનેટરી નેપકીનના વેન્ડિંગ મશીન મુકાશે. જેમાં પ્રાયોગિક ધોરણે 40 શાળાઓમા આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. હવે વધુ સ્કૂલોમા આ પ્રોજેક્ટ શરૂ કરાશે.
શું છે પ્રોજેક્ટનો ઉદ્દેશ?
જેલમાં રહેલી મહિલાઓને માત્ર જેલમાં જ કામ મળે તે આ પ્રોજેકટનો ઉદ્દેશ નથી, પણ જેલમાંથી પોતાની સજા પુરી કરી બહાર આવનાર મહિલા પગભર થાય અને પોતે પણ આ પ્રકારનો વ્યવસાય કરી શકે છે, તેવો આત્મવિશ્વાસ તેમનામાં ઉભો થાય તેવો પ્રયાસ છે. ગુજરાતની જેલોના ઇતિહાસમાં મહિલા કેદીઓના રચનાત્મક કાર્યની આ સૌપ્રથમ ઘટના છે. ભવિષ્યમાં રાજયની અન્ય જેલોમાં પણ સેનેટરી નેપકીન બનાવવાના યુનિટ સ્થાપી ત્યાંની જેલોની મહિલા કેદીઓને પણ રોજગારી પૂરી પાડી પગભર બનાવાશે.