વંદના એન મોનિકા અગ્રવાલ સગી નણંદ અને ભાભી છે, પણ એનાથી વિશેષ કહીએ તો તેઓ બંને બિઝનેસ પાર્ટનર પણ છે.
જબલપુરની બે મહિલાઓ વંદના એન મોનિકા અગ્રવાલનો છે આ બિઝનેસ
પોતાનો દીકરો બીમાર પડતાં શુધ્ધ દૂધ માટે લાવ્યા ભેંસ
એક ભેંસમાંથી આજે છે 200 થી વધુ ભેંસો
જબલપુરની બે મહિલાઓ વંદના એન મોનિકા અગ્રવાલનો છે આ બિઝનેસ
જબલપુરની બે મહિલાઓ વંદના એન મોનિકા અગ્રવાલ પોતાનો વ્યવસાય કરીને આજે કેટલીય સ્ત્રીઓ માટે એક પ્રેરણા દાયક બની ગયા છે. આ મહિલાઓ સગી નણંદ અને ભાભી છે, પણ એનાથી વિશેષ કહીએ તો તેઓ બંને બિઝનેસ પાર્ટનર પણ છે. તેઓ મધ્યપ્રદેશના જબલપુરમાં દૂધ ડેરીનો એક અલગ જ વ્યવસાય કરી રહ્યા છે.
પોતાનો દીકરો બીમાર પડતાં શુધ્ધ દૂધ માટે લાવ્યા ભેંસ
આ વ્યવસાય અલગ એ માટે છે કારણકે આ લોકોના બિઝનેસમાં ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં કેશલેસ પેમેન્ટથી લઈને ઘરે ઘરે ડિલિવરી કરવા સુધીની આધુનિક બધી જ ટેકનોલોજી વાપરવામાં આવે છે. તેઓ તેમના શહેરમાં 400 થી વધુ ઘરોમાં દૂધ અને દૂધની ઘણી બધી પ્રોડ્કટસ પહોંચાડી રહ્યા છે. પ્લે સ્ટોર પર તેમની એપ્લિકેશન પણ છે અને જેના કારણે લોકો તેના પરથી ઓર્ડર કરી શકે છે. કહેવાય છે કે તેઓ વાર્ષિક 2 કરોડ રૂપિયા કમાય છે.
એક ભેંસમાંથી આજે છે 200 થી વધુ ભેંસો
આ વ્યવસાય કરવાની પ્રેરણા ક્યાંથી મળી, તે સવાલના જવાબમાં તેમણે કહ્યું કે વંદનાનો દીકરો બીમાર પડ્યો હતો, તેથી ડોક્ટરે કહ્યુંકે તમારા બાળકને બહારનું દૂધ કે પછી ભેળસેળ વાળું દૂધ ના પીવડાવો. હવે આ સમસ્યાનું નિવારણ લાવવા માટે થઈને વંદના અને તેના પરિવાર વાળાએ ભેંસ લેવાનું નક્કી કર્યું. ત્યારપછી તેઓએ નક્કિમ કર્યું કે આ દૂધ આપણે બીજા બાળકોને પણ આપવું જોઈએ, જેથી તે લોકોને પણ શુદ્ધ દૂધ મળી રહે. તેથી તેઓ બીજી ત્રણ ભેંસ લાવ્યા અને ચાર ભેંસના દૂધના વેચાણથી ધંધાની શરૂઆત કરી. ધીમે ધીમે લોકોને તેમનું આ દૂધમ પસંદ આવ્યું અને વધુ લોકો તેમના પાસેથી દૂધ લેવા લાગ્યા,. ત્યારપછી તેમણે આ દૂધ માટેના પોસ્ટર છપાવ્યા. હાલમાં તેમની પાસે 200 થી પણ વધુ ભેંસો છે અને 10 થી 12 ગાય છે. તેમના આ વ્યવસાયમાં તેમણે 25 લોકોને નોકરી પણ આપી છે.