અમદાવાદમા કાલુપુર પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલનો આપઘાત સૌને ચોંકાવી ગયો છે. મહિલા પોલીસે સ્યુસાઈડ નોટમા ભાવુક શબ્દ લખીને પોતે પોલીસ તરીકે પરિવારની મદદ નહિ કરી શકી તેવુ દુખ વ્યકત કર્યો. આખરે કેમ એક પોલીસ કર્મચારી જીવનથી કંટાળી ગયા ? ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
અમદાવાદમા કાલુપુર પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલનો આપઘાત સૌને ચોંકાવી ગયો છે. મહિલા પોલીસે સ્યુસાઈડ નોટમા ભાવુક શબ્દ લખીને પોતે પોલીસ તરીકે પરિવારની મદદ નહિ કરી શકી તેવુ દુખ વ્યકત કર્યો. આખરે કેમ એક પોલીસ કર્મચારી જીવનથી કંટાળી ગયા ?
ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કાલુપુર પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળીએ ચાંદખેડા પોતાના નિવાસ્થાને બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ બેડામા ચર્ચાનો વિષય બન્યો છે.. મહિલા પોલીસ કોન્સ્ટેબલએ એક ભાવુક સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો. જેમા તેણે પોતાના મમ્મી-પપ્પા અને ભાઈને સંબોધીને લખ્યુ હતું.
તેણીએ મમ્મીને કહયુ કે તુ મને જતા પહેલા એકદમ સરસ તૈયાર કરજે. બાળપણમા તૈયાર કરતી હતી. તેવી રીતે ભાઈને કહયુ કે મારા ગયા બાદ મારી ભાવતી વસ્તુઓ નાના બાળકોને આપજો અને મને મૃત્યુ બાદ દાટતા નહીં. પરંતુ અંતિમ સંસ્કાર કરજો. ભાઈઓને તેના લગ્નના અવસરે ફરી મળવા આવશે તેવી ભાવુક અંતિમ ચીઠ્ઠીએ પોલીસને પણ મુંઝવી દીધા છે.
ફાલ્ગુની શ્રીમાળી 2017મા કાલુપુર પોલીસ સ્ટેશનમા કોન્સ્ટેબલ તરીકે જોડાઈ હતી. અગાઉ તેઓ વડનગરમા રહેતા હતા. બે વર્ષ પહેલા જ તેઓ અમદાવાદ રહેવા આવ્યા હતા. અંતિમ ચીઠ્ઠીમા મહિલા પોલીસે કાંતીજી, રાજન, જયેશ, હિના, આરતી, કમળા, પુષ્પા અને અરવિંદ નામના વડનગરના કેટલાક લોકોનો ઉલ્લેખ કર્યો છે.
આ વ્યકિતઓએ ફાલ્ગુની અને તેના પરિવારને હેરાન કરતા તેઓ વડનગરનું ઘર છોડીને અમદાવાદ આવી ગયા હતા. જેથી મિલકતને લઈને ફાલ્ગુની અને તેનો પરિવાર તણાવગ્રસ્ત હતો. ચાંદખેડા પોલીસે આત્મહત્યા મામલે સ્યુસાઈડમા ઉલ્લેખ કરેલા લોકોની પુછપરછ શરૂ કરી છે.
યુવા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીની આપઘાતથી પોલીસ બેડામા ચર્ચાનો વિષય બન્યો છે. આત્મહત્યાને લઈને પ્રેમ પ્રકરણને લઈને પણ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હાલમાં ચાંદખેડા પોલીસે અંતિમ ચીઠ્ઠીના આધારે તપાસ તેજ કરી છે.