અમદાવાદના વિસ્તારમાં રહેતી મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા ચકચાર મચી છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીએ આપઘાત કર્યો છે. પોતાના ઘરે બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને ફાલ્ગુની શ્રીમાળીએ જીવન ટૂંકાવ્યું.
મહિલા કોન્સ્ટેબલ પાસેથી સ્યુસાઈડ નોટ મળી હોવાની આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ 19 જૂને બપોરે મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. હાલમાં પોલીસે અકસ્માત મોત ગુનો નોંધીને તપાસ હાથધરી છે.
અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીએ કયા કારણોસર ઘરના બાથરૂમમાં ગળે ફાંસો ખાઇને જીવ ટુકાંવ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જો કે મહિલા કોન્સ્ટેબલ પાસેથી સ્યૂસાઇડ નોટ લખેલી મળી હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
એક માહિતી મુજબ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીએ 19 જૂનના બપોરે આપઘાત કર્યો હતો. જો કે ત્યારબાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.
જો કે મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હોવાની જાણ થતાં પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે હજુ સુધી કેમ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે તેનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે અકસ્માતે મોત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.