તણાવ અને ચિંતામાં રહેવું લોકો માટે સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. નકારાત્મક ભાવ, માનસિક થાક અને પરિસિસ્થિઓ પર નિયંત્રણ ગુમાવાને કારણથી આપણે અને આપણી આસપાસના લોકો તણાવમાં આવી જાય છે. એવામાં આપણે સમસ્યાનું સમાધાન શોધવાની જગ્યાએ પરેશાન રહેવા લાગે છે. શોધ પ્રમાણે આ પ્રકારની માનસિક સ્થિતિ ઘણી વખત ચીજોને વધારે ખરાબ બનાવી દે છે .
વૈજ્ઞાનિકોનું માનીએ તો માનસિક તણાવ ઘણી ચીજોને લઇને થઇ શકે છે. તમારી નોકરી, પરિવાર અને રિલ્શનશિપ એનું મોટું કારણ હોઇ શકે છે. એવી પરિસ્થિતિને કેટલાક લોકો સરળતાથી સંભાળી લે છે. જ્યારે કેટલાક લોકો વધારે તણાવમાં આવી જાય છે.
અમેરિકન સાઇકોલૉજિકલ એસોસિએશનના અનુસાર પુરુષ અને મહિલાઓ બંને અલગ અલગ પ્રકારથી તણાવને નિયંત્રિત કરે છે. એ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે તણાવમાં રહે છે. આ કારણે એને માથાનો દુખાવો, પેટની સમસ્યા, થાક અને ચીડચીડિયાપણની સમસ્યા વધારે રહે છે.
યૂનિવર્સિટી ઑફ વિસકંસિન મેડિસન્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલી શોધ અનુસાર મહિલાઓ યુવાવસ્થામાં પુરુષ અને મહિલાઓને કોઇ પણ એજ ગ્રુપની સરખામણીમાં વધારે તણાવ લે છે. કદાચ આ જ કારણ છે કે વધતી ઉંમરની સાથે છોકરીઓ છોકરાઓની સરખામણીએ વધારે સ્ટ્રેસ ફીલ કરવા લાગે છે.
આ કારણથી મહિલાઓ વઘારે રહે છે તણાવ
એક મહિલાને પર્સનલ કાર્યો ઉપરાંત પરિવારની જવાબદારીઓને પણ સાથે લઇને ચાલવાનું હોય છે. બંનેની વચ્ચે તાલમેળ બેસાડવા માટે ઘણી વખત એની પર બોજ વધારે પડે છે. એ વાત પણ નકારી ના શકાય કે પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે સેન્સેટિવ હોય છે. મહિલાઓમાં ઇમોશન અને મેમરીને નિયંત્રિત કરનાર દિમાગનો લિમ્બિક એરિયા વધારે સક્રિય હોય છે. કદાચ આ જ કારણથી એ એક ખરાબ ઘટના અને નકારાત્મક પ્રભાવને વધારે લાંબા સમય સુધી યાદ રાખે છે.