અજમેરઃ રાજસ્થાનનાં અજમેરમાં એક વૃદ્ધ મહિલા ભીખ માંગીને પોતાનું પેટ ભરીને ગુજરાન કરી રહી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં તેઓનું મોત થઇ ગયું હતું. તેઓએ ભીખ માંગીને 6.61 લાખ રૂપિયા જમા કરી રાખ્યાં હતાં. હવે તેઓનાં સંરક્ષકોએ તેઓની અંતિમ ઇચ્છા અનુસાર તેઓની કમાણીને પુલવામામાં શહીદ થયેલ CRPF જવાનોનાં નામ પર દાન કરી દીધેલ છે.
જણાવવામાં આવેલ છે કે મૃત્યુ પામનાર નંદિની શર્માએ એક મિલ્કત છોડી હતી જેમાં તેઓએ પોતાની અંતિમ ઇચ્છા રજૂ કરી હતી કે તેઓનાં પૈસાને દેશ અને સમાજનાં ઉપયોગમાં લગાવવામાં આવે.
નંદિની શર્મા અજમેરનાં બજરંગગઢમાં સ્થિત અંબે માનાં મંદિર બહાર ભીખ માંગતી હતી અને ત્યાંથી જ તેઓએ આ પૈસા ભેગાં કર્યાં. તેઓ પોતાનાં પૈસા દરેક દિવસે બેંકમાં જમા કરતી હતી અને પોતાનાં મોત બાદ આ પૈસાનો ખ્યાલ રાખવા માટે તેઓએ બે લોકોને પોતાનાં સંરક્ષક બનાવી રાખ્યાં હતાં.
જિલ્લાધિકારીને મળીને શહીદોનાં નામ પર કર્યું દાનઃ
નંદિનીનાં સંરક્ષકોએ તેઓનાં મોત બાદ એક યોગ્ય એવાં મોકાની રાહ જોઇ. પુલવામા હુમલા બાદ તેઓને લાગ્યું કે આ જ યોગ્ય મોકો છે અને આમાં જ દાન કરવાંથી નંદિનીને સાચી શ્રદ્ધાંજલિ મળશે. અજમેરનાં કલેક્ટર વિશ્વ મોહન શર્માએ જણાવ્યું કે 'નંદિનીનાં સરક્ષક મારી ઓફિસમાં આવ્યાં અને આ પૈસાને મુખ્યમંત્રી રાહત કોષમાં દાન દેવાંની વાત કરી જેનાંથી શહીદોનાં પરિવારને મદદ થઇ શકે. લીગલ સેલે ઔપચારિકતા પૂર્ણ કરી અને પૈસા લઇને એક સર્ટિફિકેટ રજૂ કરી દીધું.'