મહિલાઓ વધારે ભાવુક હોય છે, તેમણે માફી માંગવાની જરૂર નથી: જસ્ટિસ આશા મેનન
દિલ્હી હાઇકોર્ટની ન્યાયિક સેવામાંથી નિવૃત થઈ રહેલા મહિલા જસ્ટિસ આશા મેનને પોતાનાં વિદાય સમારંભમાં સ્ત્રીઓની વર્તણૂક સમજાવતા નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ઘણી વખત સ્ત્રીઓ કોઈ પરિસ્થિતિથી તરબોળ અને કદાચ વધુ લાગણીશીલ હોય તેઓએ તેમના માટે પસ્તાવો કરવો જોઈએ નહીં અથવા માફી માંગવી નહીં.
હાઇકોર્ટના મહિલા જસ્ટિસ મેનને કહ્યું હતું કે, કેટલીક વાર મહિલાઓ પરિસ્થિતિથી ભરાઈ જાય છે. જે વધુ ભાવનાત્મક હોય છે અને જેને સંભાળવી ખૂબ મુશ્કેલ હોય છે. કદાચ એટલે માટે છે કારણ કે, એક સ્ત્રી તરીકે આપણે વધુ ભાવનાત્મક બની શકીએ છીએ. મને નાથી લાગતું કે, આપની ભાવનાત્મક ક્રિયા સમયે સમયે આપણે માફી માંગવી જોઈએ કારણ કે આપણે ભાવનાત્મક આવેગના સ્ટીલના બનેલા છીએ. તેથી હું હમેંશા બધી મજબૂત મહિલાઓને સલામ કરું છું.
દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ મેનનનો જન્મ 17 સપ્ટેમ્બર, 1960ના રોજ કેરલમાં થયો હતો અને તેઓ નવેમ્બર 1986માં દિલ્હી જ્યુડિશિયલ સર્વિસમાં જોડાયા હતા. લાંબી ન્યાયિક સેવા બાદ 27 મે, 2019ના રોજ તેમણે દિલ્હી હાઇકોર્ટના કાયમી જજ બનાવવામાં આવ્યા હતા. જ્યાંથી હવે તેઓ શુક્રવારે નિવૃત થયા છે.