જૂનાગઢના માંગરોળ સ્વામિનારાયણ મંદિરના સ્વામી હનીટ્રેપની જાળમાં ફસાયાના મામલે હવે મુખ્ય સ્વામિનારાયણ મંદિરના મુખ્ય સ્વામી પ્રેમસ્વરૂપે ખુલાસો કર્યો છે. તેઓએ કહ્યું કે જે ઘટના બની અને ગોપાલચરણદાસ સ્વામી હનીટ્રેપનો ભોગ બન્યા તે કાવતરું હોય શકે છે.
સ્વામિનારાયણ મંદિરના સ્વામી હનીટ્રેપ મામલો
મંદિરના મુખ્ય સ્વામીએ કર્યો ખુલાસો
ગોપાલચરણદાસ સ્વામી હનીટ્રેપનો ભોગ બન્યા તે કાવતરું હોય શકે
ગોપાલચરણની કોઈ નિમણૂક સ્વામી મંદિર માંગરોળમાં કરવામાં નથી આવી. અને માંગરોળ કોઠારી તરીકે પ્રેમવતીચરણદાસની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ગોપાલચરણદાસ મામલે મુખ્ય સ્વામિનારાયણ મંદિરના સંતો પણ અજાણ છે. ત્યારે સવાલએ છે કે ગોપાલચરણદાસ સ્વામીની મંદિરમાં નિમણૂક કોણે કરવામાં આવી અને જો નિમણૂક કરવામાં આવી નથી તો ત્યાં કેવી રીતે રહેતા હતા.
પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ
જૂનાગઢના માંગરોળમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ હનીટ્રેપની ફરિયાદ કરી હતી. સ્વામીની ફરિયાદ બાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ કરતા સ્વામીની પાપલીલા સામે આવી છે.
અમદાવાદની હોટલમાં બની હતી ઘટના
પાપલીલા સામે આવતા સ્વામી ગોપાલચરણ પ્રેમવતીનંદન દાસજી ફરાર થયા છે. રવિવારે સ્વામીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપની ફરિયાદ કરી હતી.. અમદાવાદની નવરંગપુરામાં આવેલી હનીબની હોટલમાં સ્વામીનો વીડિયો ઉતારીને બ્લેકમેલ કર્યાની ફરિયાદ થઈ. માંગરોળ પોલીસે ફરિયાદ બાદ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે હવે સ્વામી ફરાર થતા અનેક સવાલ ઉઠી રહ્યાછે.
જાણો સમગ્ર મામલો
જૂનાગઢના માંગરોળમાં હનીટ્રેપને લઈને સ્વામીએ ફરિયાદ નોંધાવી છે. સ્વામીની બિભસ્ત ક્લીપ ઉતારીને બ્લેકમેલ કર્યાની ફરિયાદ થઈ છે. સ્વામી ગોપાલચરણ પ્રેમવતીનંદનદાસજીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
ત્રણ શખ્સોએ સ્વામીનો વીડિયો ઉતારીને 50 લાખની માગ કરી હતી. અમદાવાદની હનીબની હોટલમાં વીડિયો ઉતાર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સોનલ વાઘેલા, નિકુંજ પટેલ અને ચેતનની સામે ફરિયાદ થઈ છે.