સુરતઃ પાલ વિસ્તારમાં માતાએ પુત્ર સાથે આપઘાત કર્યો છે. 5 વર્ષના પુત્ર સાથે માતાએ આપઘાત કર્યો હતો. માસૂમ બાળકને માતાએ એપાર્ટમેન્ટના 12 માળેથી ફેંકી દીધો હતો. આપઘાત કરનાર માતાનું નામ ચંચલબેન નૈન છે. અને માસૂમ બાળકનું નામ અનિકેતન છે.
આપઘાત કરનાર મહિલાના પતિ રામનિહાર ઇન્કમટેક્સ વિભાગના અધિકારી છે. રામનિહાર ન્હાવા ગયા તે દરમિયાન આ ઘટના બની હતી. પાલ વિસ્તારના સુતરીયા યુનિવર્સલ એપાર્ટમેન્ટમાં આ બનાવ બન્યો હતો. આપઘાતનું કારણ હજુ અકબંધ છે. જોકે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે પાલ વિસ્તારમાં આવેલ સુતિયા યુનિવર્સલ એપાર્ટમેન્ટમાં મહિલા પરિવાર સાથે ભાડે રહેતી હતી. પતિ ન્હાવા ગયા તે દરમિયાન માતા ચંચળબેન પાંચ વર્ષના પુત્ર અનિકેત લઇ 12માં માળ પર ગયા હતા. ત્યારબાદ પહેલા પુત્રને 12માં માળેથી ફેંકી દીધો હતો. અને પછી પોતે પણ ઝંપલાવ્યું હતું.
આ ઘટનાના પગલે સોસાયટી અને આસપાસના વિસ્તારના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ઘટનાસ્થળે જ માતા-પુત્રની મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.