આસામ એનઆરસીની ફાઇનલ લીસ્ટ જાહેર કરી દેવાઇ છે. ગૃહ મંત્રાલયએ ફાઇનલ લીસ્ટ જાહેર કર્યું છે. ફાઇનલ લીસ્ટમાં 19,06,657 લોકોને બહાર કરી દેવાયા. ઘણા લોકો આ લીસ્ટથી સંતુષ્ટ નથી. ત્યારે એક 60 વર્ષની મહિલાએ લીસ્ટમાં પોતાનું નામ ન સાંભળીને આત્મહત્યા કરી લીધી છે.
જોકે, બાદમાં જાણવા મળ્યું કે મહિલાનું નામ લીસ્ટમાં સામેલ છે. આ ઘટના ઉત્તર આસામના સોનિતપુર જિલ્લાની છે. જ્યાં 60 વર્ષના સયારા બેગમે શનિવારે સવારે કૂવામાં એટલા માટે છલાંગ લગાવી દીધી કેમકે કોઇએ એમને કહ્યું કે એમનુ નામ લીસ્ટમાં નથી. જોકે, ત્યાં સુધી એ સ્પષ્ટ નહોતું કે મહિલાનું નામ લીસ્ટમાં હતું કે નહીં. એમને કુવાથી બહાર નીકાળી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. પરંતુ તેમનુ મૃત્યું થઇ ચૂક્યું હતું.
રિપોર્ટસ અનુસાર મહિલાના પતિ શમશેર અલીએ જણાવ્યું કે તે એનસીઆરની છેલ્લું લીસ્ટને લઇને ગઇકાલથી તણાવમાં હતા. મહિલાના પતિ અને તેના બે પુત્રોના નામ 30 જુલાઇ 2018ની પ્રકાશિત થવા જઇ રહેલી NRC લીસ્ટમાં નહોતું જ્યારે તેમનું ખુદનું નામ તેમા સામેલ હતું.
અલીએ સાથે જણાવ્યું કે એમને ડર હતો કે એકવાર ફરી તેમનુ નામ લીસ્ટમાં સામેલ નથી થાય અને તેનો તણાવ સહન ન કરી શક્યા. અલીએ સ્પષ્ટતા કરી કે તેનો અને તેના બંને પુત્રોનું નામ એનઆરસીની છેલ્લી લીસ્ટમાં સામેલ છે. પરંતુ તેની જાણ થાય એ પહેલા જ એમની પત્નીએ આત્મહત્યા કરી લીધી.
NRCના સ્ટેટ કોર્ડિનેટર પ્રતીક હજેલાએ જણાવ્યું કે 3 કરોડ 11 લાખ 21 હજાર લોકોને NRCની ફાઇનલ લીસ્ટમાં જગ્યા મળી છે અને 19,06,657 લોકોને બહાર કરાયા છે. જોકે, જે લોકો તેનાથી સંતુષ્ટ નથી, તે ફોરનર્સ ટ્રિબ્યૂનલ આગળ અપીલ કરી શકે છે.