6 દિવસનું લોકડાઉન જાહેર થયા બાદ દિલ્હીમાં દારુ ખરીદવા લોકોએ લાઈનો લગાવી દીધી છે.
દિલ્હીમાં 6 દિવસનું જાહેર થયું લોકડાઉન
દારુ ખરીદવા લોકોઓ લગાવી દીધી મોટી મોટી લાઈનો
મહિલાઓએ પણ દારુ ખરીદવા પડાપડી કરી
દિલ્હીમાં જેવી મુખ્યમંત્રી કેજરીવાલે 6 દિવસના લોકડાઉનની જાહેરાત કરી કે તરત જ લોકો દારુ લેવા દોડવા લાગ્યાં હતા. દારુની દુકાનોની બહાર મોટી મોટી લાઈનો જોવા મળી હતી. કેટલીક દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ધજાગરા ઉડ્યાં હતા. ગત વર્ષે લોકડાઉન દરમિયાન જે સ્થિતિ જોવા મળી હતી બરાબર તેવી જ સ્થિતિ આ વખતે પણ જોવા મળી હતી.
દિલ્હીમાં પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ દારુ ખરીદવા આવી ચડી હતી. શિવપુરી ગીતા કોલોની સ્થિત શરાબની દુકાનમાં દારુ ખરીદવા આવેલી એક મહિલાનો તર્ક સાંભળીને તો ગોથે ચડી જવાયું. આ મહિલાએ એવો તર્ક આપ્યો કે ઈન્જેક્શનની કંઈ ફાયદો થવાનો નથી પરંતુ આલ્કોહોલથી થવાનો છે. મને દવાથી નહીં પેગથી અસર થશે.
#WATCH Delhi: A woman, who has come to purchase liquor, at a shop in Shivpuri Geeta Colony, says, "...Injection fayda nahi karega, ye alcohol fayda karegi...Mujhe dawaion se asar nahi hoga, peg se asar hoga..." pic.twitter.com/iat5N9vdFZ
આ મહિલાએ જણઆવ્યું કે હવેથી છ દિવસનું લોકડાઉન છે તેથી હું બે બોટલ લેવા આવી છું. તેણે કહ્યું કે શરાબમાં આલ્કોહોલ હોય છે મને કોરોનાનું ઈન્જેક્સનથી નહીં પરંતુ આલ્કોહોલથી ફાયદો થશે. જે લોકો પણ દારુ પીશે તેમને કશું નહીં થાય.
શરાબીઓને કોરોનાથી કોઈ અસર નહીં થાય-મહિલા
મહિલાએ કહ્યું કે શરાબીઓને કોરોનાથી કોઈ અસર નહીં થાય. પરંતુ પેગથી થશે. હું છેલ્લા 35 વર્ષથી શરાબ પીઉ છું. હું દરરોજ એક પેગ લઉ છું. દિલ્હીમાં લોકડાઉન દરમિયાન શરાબની દુકાનો ખુલવી જોઈએ. ઠેકા ખુલ્લા રાખવાથી લોકો ડોક્ટર પાસે જતા બચી જશે.
ખાન માર્કેટ સ્થિત દારુની દુકાન પર મોટી મોટી લાઈનો લાગી
ખાન માર્કેટ સ્થિત દારુની દુકાન પર મોટી મોટી લાઈનો લાગી હતી. લોકોને જાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું તો કોઈ ભાન જ નહોતું. બસ તેમને તો ગમે તેમ કરીને દારુ ખરીદી લેવો હતો. શરાબ ખરીદતી વેળાએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ ભાન ભૂલ્યા હતા.