સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતી એક મહિલા PSIએ થોડા દિવસ અગાઉ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. જોકે PSIએ આપઘાત ક્યા કારણોસર કર્યો તે કારણ જાણી શકાયું નથી, તેની તપાસ ચાલી રહી છે. તેવામાં હવે આપઘાત કરનાર PSIની સ્પીચનો વાયરલ વીડિયો સામે આવ્યો છે.
સુરતમાં આપઘાત કરનાર મહિલા PSIનો વીડિયો થયો વાયરલ
PSI જોશીનો 5 મિનીટના સમયનો વીડિયો આવ્યો સામે
પોલીસ કર્મીઓને સકારાત્મકતા અંગે આપતા હતા માર્ગદર્શન
સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ ફલાસાવાડી પોલીસ કોલોની ખાતે રહેતી મહિલા PSIએ પોતાના જ ઘરમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. મહિલા PSI અનિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલ્વોરમાંથી પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. ત્યારે હવે આપઘાત કરનાર PSIનો વાયરલ વીડિયો સામે આવ્યો છે. જેમાં PSIએ કેમ કહ્યું હતું કે 'અમારા ગયા પછી મહેફિલને અમારી ખોટ વર્તાય તો પણ ઘણું'. આ PSI આત્મવિશ્વાસ અને જુસ્સાથી ભરપૂર હતી. એક સમયમાં ધારદાર વાતો કરતા હતા.
એક સમારોહમાં તેમણે કહ્યું હતું કે 'ઉછાળા મારીને અમને પાછા ન પાડો સાગર કિનારે ઊભા રહીશું તો તોફાન બની જઈશું.' PSI જોશીનો 5 મિનીટનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ પોલીસ કર્મચારીઓને સકારાત્મકતા અંગે માર્ગદર્શન આપતા હતા. કવિતાઓની પંક્તિથી પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
પોતાના ઘરે સર્વિસ રિવોલ્વરથી મહિલા PSIએ કર્યો હતો આપઘાત
મહત્વનું છે કે, અનિતા જોશી સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ઉધનાના પટેલનગર પોલીસ ચોકીમાં ઇન્વે ચાર્જમાં મહિલા PSI તરીકેની ફરજ બજાવતા હતા. અનિતા જોશી આજે પોલીસ સ્ટેશન ફરજ પર ગયા ન હતા. ઘરે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તાપસ શરૂ હાથ ધરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે PSI અનિતા જોશી પરણિત છે અને તેને એક બાળક પણ છે. તેવામાં PSL દ્વારા આ પ્રકારે આપઘાત કરી લેવાતા સમગ્ર પોલીસ બેડામાં શોકની કાલિમા સાથે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે દ્વારા ગાર્ડ ઓફ ઑનર અપાયું હતું.
મહિલા PSIએ દબાણવશ કર્યો આપઘાત
મળતી માહિતી અનુસાર, એવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કે, પતિ-સાસરિયા નોકરી છોડવા દબાણ કરતા હતા. પુત્રને મળવું હોય તો નોકરી છોડવા દબાણ કરાતું હતું. મહિલા PSIએ નણંદ સાથે છેલ્લી વાત કરી હતી. મૃત્યુ પછી રૂપિયા આવે તે પુત્રના નામે FD કરવા કહ્યું હતું. મહિલા PSIના પરિવારે તટસ્થ તપાસની માંગ કરી છે.
પોલીસે માત્ર અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
જોકે પોલીસ તપાસમાં હાલ મહિલા PSIના આપઘાતનું સાચુ કારણ જાણી શકાયું નથી. મહિલા PSIના આપઘાત પાછળ પોલીસની ફરજ પરની કામગીરીને લઈ અને પછી ઘરકંકાસ કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે દિશામાં મહિધરપુરા પોલીસ તપાસ કરી રહી છે. જોકે હાલ તો મહિધરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મહિધરપુરા પોલીસની ધીમી તપાસ ચાલી રહી છે.