ભારત વિવિધતાથી ભરેલો દેશ છે અહીં ડગલે-પગલે રિવાજો અને પરંપરા બદલાય છે. ઘણી વખત આપણી પરંપરાઓ આપણને આશ્ચર્યમાં મુકી દેતી હોય છે.
કારણ કે વિશ્વ તેના વિશે ઓછું જાણે છે. કેટલાક વિશિષ્ટ વર્ગો અને સમુદાયો તેમના તહેવારોને તેમના ક્ષેત્રની અંદર જ ઉજવે છે. આવા ખાસ વર્ગ હિમાચલ પ્રદેશમાં વિશિષ્ટ પ્રકારના તહેવાર ઉજવે છે.
હિમાચલ પ્રદેશના ગોદાબાદના કુલ્લુ જીલ્લામાં આવેલ ગામમાં એક અજોડ પરંપરા આજે પણ ચાલુ છે. કુલ્લુ પણ ફેશનથી પ્રભાવિત થયું છે પરંતુ ભગવાનના નિયમો આજે પણ ખાસ સ્થાન ધરાવે છે. મણિકર્ણ ખીણનું એક ગામ છે જેનું નામ પાણી છે
જ્યાં પતિ અને પત્ની વર્ષના પાંચ દિવસ માટે એકબીજા માટે મજાક-મસ્તી કરતા નથી. આ સાથે જ સ્ત્રીઓ પાંચ દિવસ સુધી કપડાં પણ પહેરતી નથી.
તેમને પાંચ દિવસ માટે પાંચ ઊનમાંથી બનેલી પટ્ટો ઓઢવો પડે છે. આ અનોખી પરંપરાનું પાલન 17 થી 21 ઓગસ્ટ સુધી એમ પાંચ દિવસ સુધી કરવામાં આવે છે.
આ સમયગાળામાં લોકો મદીરાપાન કરવાનું પણ ટાળે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે લાહુઆ ગૌંડ દેવતા જ્યારે પીણી પહોંચ્યા ત્યારે રાક્ષસોની બોલબાલા હતી. ભાદો સંક્રાન્તિ એટલે કાળા મહિનાના પ્રથમ દિવસે દેવતાએ પીણીમાં પગ રાખ્યો અને રાક્ષસોનો નાશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની દેવ પરંપરા બાદ જ આ અનોખી વિરાસત શરૂ થઇ હતી. આ ઘટના બાદ જ સ્ત્રી-પુરુષને પાંચ દિવસ સુધી મજાક-મસ્તી કરવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. આ સાથે જ મહિલાઓએ કપડાંની જગ્યાએ ખાસ પ્રકારના પટ્ટા ઓઢવાની પણ પરંપરા શરૂ થઇ હતી. આજે પણ આ પરંપરાનું પાલન પીણી ફાટીના લોકો નિભાવી રહ્યા છે.