મહીસાગરના ડીટવાસમાં પરિણીતાએ આપઘાત કર્યો છે. પરિણીતાએ ત્રણ બાળકીઓ સાથે કુવામાં ઝંપલાવ્યું હતું. ત્યારે પરિણીતા સાથે 3 બાળકીઓનું પણ મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. DySP સહિતના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તો આ ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માગ ઉઠી છે.
3 બાળકી સાથે કુવામાં ઝંપલાવતા તમામના મોત
ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ કાફલો પહોંચ્યો
DySP સહિતના અધિકારીઓએ હાથધરી તપાસ
કડાણા તાલુકામાં આવેલ ડીટવાસ ગામની હૃદય કંપાવી દેતી ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 24 વર્ષીય મંગુબેન ડામોરે પાંચ વર્ષ, બે વર્ષ અને ચાર મહિનાની બાળકીઓ સાથે આત્મહત્યા કરી હતી.
પોતાની વ્હાલસોયી બાળકીઓ સાથે મોતને વ્હાલું કરનાર માતાના મોત માટે જવાબદારને આકરી સજા કરવા માંગ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે કુટુંબીજનો અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે.
DySP સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢી પી.એમ. અર્થે મોકલવામાં આવ્યા છે. પોલીસ આપઘાત કરવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.