રાજકોટમાં દાઝી જવાથી મહિલાનું મોત, પતિ સહિત બે બાળકો પણ દાંઝ્યા, પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી
રાજકોટમાં દાઝી જવાથી મહિલાનું મોત
પતિ સહિત બે સંતાનો પણ દાઝ્યા
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં દાઝી જવાથી મહિલાનું મોત નિપજ્યું છે, ગઈ કાતે સાંજે 6 વાગ્યે D વિંગના છઠ્ઠા માળે આગની ઘટના સામે આવી હતી, જેમાં પતિ સહિત બે સંતાનો પણ દાઝી ગયા હતા આગની જાણ ફાયર વિભાગને ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબૂ મેળવી લીધો હતો પરતું આગની આગ ઘટનામાં પત્નીનું મોત નિપજ્યું છે જ્યારે પતિ અને બે સંતાનોને સારવાર અર્થે ખસેડાયા હતા.
ઘરમાં સુતેલા બે સંતાનો પણ દાઝ્યા
આગની ઘટના સમયે પતિ અને બાળકો ઘરમાં જ સુતા હતા ત્યારે આગ લાગી હતી પતિ યોગીરાજી સરવૈયા, 3 વર્ષનો પુત્ર ઉર્વરાજ અને 6 વર્ષની પુત્રી કૃતિકા સરવૈયા પણ આગમાં દાઝી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પોલીસે પ્રાથમિક તપાસમાં એક્સિડેન્ટલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, મહત્વનું છે કે સારવાર અર્થે ખસેડવામાં આવેલ યોગીરાજસિંહની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, ઘરમાં હતા એ સમયે બાળકો સુતા હતા અને ત્યારે આગની ઘટના બની બની હતી. જો તે પતિના નિવેદન બાદ એક્સિડેન્ટલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે એક્સિડેન્ટલ ગુનો નોંધી તપાસ શરૂ કરી
પોલીસની પ્રાથમિક તપાસમાં આગનું કારણ ઘર કંકાસ કારણ ભૂત હોવાનું મનાઈ રહ્યું છે. રાજકોટ ડીસીપી ઝોન 2ના મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ઘટના સાંજના 6 વાગ્યા આસપાસ બની હતી. આ આપઘાત છે કે પછી અન્ય કોઈ કારણ છે આગ લગાવવામાં આવી તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગમાં મૃતક વર્ષાબા સરવૈયાનું દાઝી જતા તેમનું મોત નિપજ્યું છે. જ્યારે યોગીરાજસિંહ સરવૈયા સહિત બે બાળકો દાઝી જતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે એક્સિડેન્ટલ મોતનો ગુનો નોંધી આકસ્મિક આગ કે આપઘાત તે દિશામાં તપાસ શરૂ કરી છે.