આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલીત પશુ સંસોધન કેન્દ્ર ઘાસચારા ફાર્મ ખાતે સુકા ઘાસને કાપવાના મશીનમાં એક મહીલા આવી જતા અફડાતફળી મચી જવા પામી હતી. પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ પરિવારના સભ્યોએ મોટી ઉંમરના મજૂરો પાસે વધુ કામ કરાવવામાં આવતુ હોવાનો આક્ષેપ કર્યો હતો.
કૃષિ યુનિ. સંચાલીત ફાર્મમાં દુર્ઘટના
ઘાસ કાપવાના મશીનમાં એક મહિલાનું મોત
પરિવારજનોનો કૃષિ યુનિ. પર આક્ષેપ
આણંદ કૃષિ યુનિવર્સિટીના પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સંચાલીત પશુ સંશોધન ઘાસચારા ફાર્મ ખાતે સુકા ઘાસને પીલવાના મશીનમાં અચાનક એક મહીલા કામ કરતા કચડાઇ ગઇ હતી. જેને લઇ અન્ય કામ કરતા મજુરોમાં ફફડાટ મચી ગયો હતો.
સવિતાબેન ઠાકોર નામની મહીલા સુકો ઘાસચારો મશીનની અંદર નાખતા સમયે અચાનક મશીનની અંદર ઢસળાઇ જતા મહીલાનું મોત નિપજ્યુ હતું. ઘટનાની જાણ થતાની સાથે પરિવારજન અને સગા સબંધીઓ ઘટનાસ્થળ ઉપર આવી હોબાળો મચાવ્યો હતો.
આ ઘટના બનતા આણંદ ટાઉન અને આણંદ રૂરલ પોલીસ તથા ફાયર ટીમ અને કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાંસેલર સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. પોલીસ દ્વારા ઘટનાને લઇ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.