બ્રિસ્બેનની એક મહિલા ડેબી કિલરોયને 80 દિવસ પહેલાં જ ખ્યાલ આવ્યો હતો કે તેને કોરોના વાયરસ છે. અસહ્ય લક્ષણોની સાથે સતત 9મી વખતે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ અનેકવાર તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આ કેસને લઈને ડોક્ટર્સની ચિંતામાં પણ વધારો થયો છે. સતત 80 દિવસથી આ મહિલા કોરોના સામે લડી રહી હોવાના કારણે તેના શરીરને ઘણું નુકસાન થયું હોવાનું શક્ય છે તેમ ડોક્ટર્સનું માનવું છે.
80 દિવસથી મહિલા લડી રહી છે કોરોના સામે
લક્ષણો હોવા છતાં 8 વખત રિપોર્ટ આવ્યો નેગેટિવ
9મી વખત રિપોર્ટ પોઝિટિવ આવતાં ડોક્ટર્સની વધી ચિંતા
કોરોના સંક્રમિત મહિલાએ જણાવી આ વાત
મહિલાએ કહ્યું કે મરા શરીરને હાલ સુધીમાં ઘણું નુકસાન પહોંચ્યું છે. હું સંપૂર્ણ રીતે સુસ્ત થઈ ચૂકી છું. મને શરીરમાં અલગ જગ્યાઓએ નાક, માથું અને શરીરમાં અલગ અલગ સમયે દર્દ અનુભવાય છે. આ સાથે સૌથી વધુ મુશ્કેલી થતી હોય તો તે છે કે મને થાક લાગે છે. મારો બ્લડ ટેસ્ટ, એક્સ રે, ઈકો ટેસ્ટ થઈ ચૂક્યો છે. હજુ પણ મારે અનેક મુશ્કેલીમાંથી પસાર થવાનું છે.
કોરોનાના આ લક્ષણોથી ડોક્ટર્સ પણ છે ચિંતિત
ક્વીંસલેન્ડ વિશ્વવિદ્યાલયના એક વાયરોલોજીસ્ટ પ્રોફેસર ઈયાન મેકનું કહેવું છે કે કોરોના વાયરસને લાંબા સમય સુધી દેખાનારા લક્ષણોના પ્રભાવની કોઈ જાણકારી મળી નથી. એવા અનેક કેસ આવ્યા છે જેમાં દર્દી સાજા થયા પછી ફરી કોરોના સંક્રમિત થયા હોય. તેઓએ કહ્યું કે કોરોનાના દર્દીને સંપૂર્ણ રીતે સાજા થવામાં વધારે સમય લાગે છે. તેઓએ કહ્યું કે હજુ સુધી કોઈ એ નક્કી કરી શકતું કે આ ઈન્ફેક્શન શરીરમાં કેટલા દિવસો સુધી રહી શકે છે. પરંતુ શક્યતા છે કે તે ઓછામાં ઓછા 6 મહિના સુધી શરીરમાં રહે છે.
ઈન્ક્યૂબેશન સમયને લઈને પણ છે અનેક પ્રશ્નાર્થ
ગયા અઠવાડિયે ક્વીંસલેન્ડમાં કોરોના વાયરસના 2 અલગ કેસ સામે આવ્યા હતા. આ બંને દર્દીને 14 દિવસ માટે નહીં પણ અનેક મહિના માટે ક્વૉરન્ટાઈન કરવા પડ્યા હતા. પ્રીમિયર એનાસ્ટેસિયા પલાસજુક્કુકે ખુલાસો કરતાં કહ્યું છે કે કેર્ન્સની એક મહિલાએ ક્રૂઝમાં સવારી કરી અને પછી તેનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. શક્યતા રાખવામાં આવી રહી છે કે આ મહિલા ક્રૂઝમાં મુસાફરી કર્યા બાદ 10 અઠવાડિયા પછી પોઝિટિવ આવી. અન્ય કેસમાં 2 મહિના પહેલાં ભારતથી પરત આવેલી મહિલામાં અઠવાડિયા અગાઉ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
સ્વાસ્થ્ય વિભાગની વધી મુશ્કેલી
ક્વીંસલેન્ડના સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે જો મહિલા 2 મહિના પહેલાં ભારતથી સંક્રમિત થઈને આવી છે તો પ્રશ્ન એ છે કે ઈન્ક્યૂબેશન પીરિયડ કેટલો કારગર છે. તેમાં પણ સ્થિતિ અલગ હોઈ શકે છે. તેની પર વિચાર કરવો પડશે.
ઓછા લોકોમાં હોય છે અસામાન્યતા
શક્ય છે કે આ લોકોને 2 અઠવાડિયાના ઈનક્યૂબેશન પીરીયડનું પાલન ન કર્યું હોય. તેઓએ કહ્યું જો કોઈ અસામાન્ય કેસ હોય તો આ આશ્ચર્યજનક રીતે દુર્લભ છે. પ્રોફેસર્સનું કહેવું છે કે મને લાગે છે કે અમારી જાણકારીમાં કેટલીક જાણકારી ખૂટી રહી છે. હાલ સુધીના રિસર્ચમાં 14 દિવસના ઈન્ક્યૂબેશન પીરિયડને ફાયદારૂપ ગણાવાયો છે. તેઓ કહ્યું કે તેનાથી પણ વધારે ઈન્ક્યૂબેશન પીરિયડની જરૂર પડી શકે છે. પરંતુ તે 2 મહિનાથી વધારે નથી.