પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં એક ગોઝારી ઘટના ઘટી છે. અહીં પ્રવાસે આવેલી એક મહિલાનું શામળાજીની વાવમાં પડી જતા મોત થયું છે.
શામળાજી મંદિરની વાવમાં પડી જતા મહિલાનું મોત
વાવ પરના પથ્થર પર ઉભા રહી ફોટો પડાવતા બની ઘટના
પગ લપસતાં મહિલા વાવમાં પડી જતા મોત
કેવી રીતે ઘટી ઘટના?
અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર પરિસરમાં આવેલી વાવમાં પડી જતા મહિલાનું મોત નીપજ્યું છે. મહિલા વાવ ઉપરના પથ્થર ઉપર ઉભા રહી ફોટો પડાવતી હતી અને કાળ કોળિયો બનીને આવ્યો હતો. આ જ સમયે પગ લપસતાં મહિલા વાવમાં પડી જતા માથામાં ઇજાથી મોત નીપજ્યું હતું.
પરિવાર સહ આવ્યા હતા પ્રવાસે
ભરૂચના 45 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ રાંદેરિયા પરિવાર સાથે દર્શને આવ્યા હતા. આ યાત્રાધામમાં જ મહિલાનું મોત નીપજતા પરિવાર શોકાતુર બન્યો હતો. શામળાજી મંદિરના પરિસરમાં ખુશીઓની પળ માણી રહેલા શિલ્પાબેનનું અચાનક પગ લપસવાને કારણે મોત થયું હતુ.