મુંબઇ: પૂણેમાં ગરબા રમવા ગયેલી એક યુવતીને જોઈ ગરબા આયોજકોએ ગરબા બંધ કરી દીધા હતા. ઘટના છે પૂણેના ભાટનગર વિસ્તારની. જ્યાં 23 વર્ષીય ઐશ્વર્યા તમાયચીકર ગરબા રમવા ગઈ હતી. ત્યારે આયોજકોએ ગરબા બંધ કરી દીધા. તેનું કારણ એ હતું કે યુવતીએ લગ્ન સમયે વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કર્યો હતો.
જે બાદ કંજારભાટ સમાજે યુવતીનો બહિષ્કાર કર્યો હતો. પોલીસે આ મામલે સમાજના 8 સભ્ય વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. યુવતીએ 12 મે 2018ના રોજ વિવેક તમાયચીકર સાથે લગ્ન કર્યા હતા અને વર્જિનીટી ટેસ્ટનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં યુવક-યુવતીઓ સાથે મળીને એક વર્ષથી વર્જિનીટી ટેસ્ટના વિરોધમાં લડાઈ શરૂ કરી છે.
જોકે ત્યારબાદ સમાજમાં યુવતીને કોઈ કાર્યક્રમમાં બોલાવાતી નથી અને ગરબા રમવા માટે જતાં આયોજકોએ યુવતીએ વર્જિનીટીનો વિરોધ કર્યો હોવાથી ગરબા બંધ કરી દીધા હતા અને યુવતીને ગરબા રમતા અટકાવી હતી. આ મામલે યુવતીએ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.