બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / મૃત્યુ બાદ આત્મા શરૂ કરે છે સાત લોકની યાત્રા, ફિલોસોફરે જણાવી કેવી હોય છે સફર

પુસ્તકમાં દાવો / મૃત્યુ બાદ આત્મા શરૂ કરે છે સાત લોકની યાત્રા, ફિલોસોફરે જણાવી કેવી હોય છે સફર

Last Updated: 10:05 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માણસના મૃત્યુ બાદ શું થાય છે તેને લઈ અલગ અલગ ધર્મોમાં અલગ માન્યતાઓ અને દાવાઓ છે. પરંતુ સાયન્સ હજુ પણ આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવામાં હાલમાં જ ઓક્સફોર્ડમાં ભણેલા ફિલોસોફર ક્રિસ કાર્ટરે દાવો કર્યો છે કે શરીર મૃત્યુ પામ્યા બાદ પણ આપણી ચેતના જીવંત રહે છે.

મૃત્યુ બાદ વ્યક્તિનું શું થાય છે તે હજુ પણ એક ગાઢ રહસ્ય છે. સદીઓથી માનવજાત આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરે છે અને સમય સમય પર આ અંગે ઘણા દાવા પણ કરવામાં આવ્યા છે. હવે ઓક્સફોર્ડમાં ભણેલા ફિલોસોફર ક્રિસ કાર્ટરે દાવો કર્યો છે કે શરીર મૃત્યુ પામ્યા બાદ પણ આપણી ચેતના જીવંત રહે છે. તેમના નવા પુસ્તક "  The Case for the Afterlife" માં તેમને મૃત્યુ બાદના જીવન, પુનર્જન્મ અને સ્વર્ગ જેવા સ્થળો વિશે અનેક ચોંકાવનારા દાવા કર્યા છે. ચાલો જાણીએ કે તેમણે મૃત્યુ બાદના જીવન વિશે શું લખ્યું છે.

  • સાત લોકની યાત્રા
    ક્રિસ કાર્ટરે તેમના પુસ્તકમાં 19મી સદીના પ્રખ્યાત કવિ અને મનોવૈજ્ઞાનિક સંશોધક ફ્રેડરિક માયર્સના સંદેશાઓનો ઉલ્લેખ કર્યો છે, જે તેમના મતે તેમના મૃત્યુના વીસ વર્ષ બાદ વિવિધ માધ્યમો દ્વારા વિશ્વભરના સાઈકિક લોકોને મળ્યા હતા. સાઈકિક એ એવા લોકો હોય છે જેઓ આત્માઓ સાથે વાત કરવાનો દાવો કરે છે.

ફ્રેડરિકના મતે મૃત્યુ બાદ આત્મા પૃથ્વી પરથી એક એવી યાત્રા પર નીકળે છે જેમાં કુલ સાત અલગ અલગ ગ્રહો અથવા લોક હોય છે. જેમાં હેડ્સ, થર્ડ પ્લેન, ઈડો, પ્લેન ઓફ ફેમ, પ્લેન ઓફ લાઇટ અને આઉટ યન્ડર અને છેલ્લા વિશ્વમાં આત્મા અમરત્વ પ્રાપ્ત કરે છે અને પ્રકાશમાં પરિવર્તિત થઈ જાય છે.

  • મૃત્યુ બાદ પહેલુ સ્ટોપ

Hadesને 'કામચલાઉ વિશ્રામ સ્થળ' તરીકે વર્ણવવામાં આવ્યું છે જ્યાં આત્મા આગામી વિશ્વ માટે તૈયાર ન થાય ત્યાં સુધી રહે છે. અહીં પસાર કરેલો સમય આત્માના થાક અને જરૂરિયાત પર આધાર રાખે છે.

ત્રીજી દુનિયા પૃથ્વી જેવી કહેવાય છે, જ્યાં સમાન વિચારવાળા લોકો ભેગા થાય છે અને પોતાની પસંદગીની દુનિયા બનાવે છે, પરંતુ જો કોઈએ જીવનમાં ખરાબ કાર્યો કર્યા હોય તો તેને અહીં અંધકાર અને વિરાનમાં રહેવું પડે છે. ફ્રેડરિકના મતે આવા લોકો જ્યાં સુધી પોતાની સ્વાર્થી વૃત્તિઓ છોડી ન દે ત્યાં સુધી તેઓ અંધારામાં રહે છે.

  • સપના કરતાં પણ સુંદર દુનિયા

ઈડો નામની દુનિયા બિલકુલ પૃથ્વી જેવી દેખાય છે પણ અહીંના રંગો અને દ્રશ્યો એટલા સુંદર હોય છે કે માણસ તેની કલ્પના પણ ન કરી શકે. ફ્રેડરિકે દાવો કર્યો હતો કે તેને આ લોકોની યાત્રા કરી હતી.

વધુ વાંચો : એલિયન્સ પૃથ્વી પર આવ્યા, અને હુમલો કર્યો, તો 23 સૈનિકો પથ્થરમાં પરિવર્તિત થઇ ગયા!

છઠ્ઠા લોકમાં પહોંચ્યા બાદ આત્મા શરીર છોડીને સફેદ પ્રકાશ બની જાય છે. ફ્રેડરિક ત્યાં પહોંચ્યો ન હતો પરંતુ તેના મતે આ માહિતી તેને ત્યાં પહેલાથી જ પહોંચેલ આત્માઓ દ્વારા આપવામાં આવી હતી.

  • દરેક આત્મા માટે એક અલગ યાત્રા

ક્રિસ કાર્ટરે જણાવ્યું કે આત્માની આ યાત્રા તેના નૈતિક અને આધ્યાત્મિક વિકાસ પર આધારિત હોય છે. મતલબ કે તમે જે પણ જીવન જીવ્યા છો મૃત્યુ બાદ તમને તે જ અનુભવ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Soul Religion Mythology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ