પ્રોવિડન્ટ ફંડમાં જમા થતાં રૂપિયા દરેક નોકરિયાત વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. દર મહિને મળતી સેલરીમાંથી બચત કરવી મુશ્કેલ હોય છે. જેથી પીએફ એવી રકમ હોય છે જે ધીરે-ધીરે પણ મુશ્કેલ સમયની જરૂરિયાતને પૂર્ણ કરવામાં કામ આવે છે. ચાલો જાણીએ સરળતાથી કઈ રીતે કાઢી શકાય છે પીએફના રૂપિયા.
નોકરિયાત લોકો સરળતાથી કાઢી શકે છે પીએફના પૈસા
આધાર દ્વારા સીધા તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો પૈસા
આધાર ન હોય તો આ રીતે પણ કાઢી શકો છો પીએફના પૈસા
ક્યારે મળે છે પીએફના પૂરા પૈસા
જો કોઈ કર્મચારી 58 વર્ષની ઉંમરમાં નોકરી છોડે છે તો તે પીએફ ખાતામાં જમા તેના હિસ્સાની રકમ સહિત એમ્પ્લોયર તરફથી જમા રકમ અને તેના પર મળનાર વ્યાજનો હકદાર હોય છે. આ સિવાય રિટાયરમેન્ટ પછી પીએફ નીકાળવા પર તમને એમ્પ્લોયી પેન્શન સ્કીમનો લાભ પણ મળે છે. જોકે, આ નોકરીના સમય પર આધાર રાખે છે.
આધાર દ્વારા સરળતાથી કાઢી શકાય છે પીએફના પૈસા
જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમે સરળતાથી પીએફના પૈસા કાઢી શકો છો. આધાર દ્વારા રકમ કાઢવા પર તમારે એમ્પ્લોયરથી પ્રમાણિત કરવાની પણ જરૂર નહીં પડે. તેમાં તમારે ફોર્મની સાથે એક કેન્સલ ચેક પણ જમા કરવો પડશે, જેથી પૈસા સીધા તમારા ખાતામાં જમા થઈ જશે. ધ્યાન રાખજો કે તમારે એ જ બેંક ખાતાની જાણકારી આપવી, જેની ડિટેલ યૂએએન પોર્ટલ પર આપી હોય.
આધાર ના હોય તો શું કરવું ?
જો તમારી પાસે આધાર કાર્ડ નથી અથવા તમે આધારની મદદથી રકમ કાઢવા નથી માંગતા તો અન્ય એક રીત પણ છે. તમારે કમ્પોઝિટ ક્લેમ ફોર્મ અથવા ફોર્મ 19 ભરવું પડશે. જો તમે નોકરીના 5 વર્ષ પૂરા કરી દીધા છે તો ફોર્મની સાથે પાનની ડિટેલ પણ આપવી પડશે. આ સિવાય ફોર્મ 15જી અથવા 15એચની કોપી જમા કરવી પડશે. જો તમારી પાસે યૂએન નંબર ન હોય તો માત્ર પીએફ એકાઉન્ટ નંબર પણ આપી શકો છો.
નોકરી બદલો તો પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાનું ભૂલવું નહીં
ઘણીવખત આપણે નોકરી બદલતી વખતે બેદરકારી કરીએ છીએ. જૂના એકાઉન્ટને બંધ નથી કરતા અને નવી કંપનીમાં નવું પીએફ એકાઉન્ટ ખોલાવી લઈએ છીએ. આનાથી તમારા પાછલા પીએફ એકાઉન્ટ પર મળનારા વ્યાજ પણ ટેક્સ લાગે છે. તમને જણાવી દઈએ કે, પીએફ એકાઉન્ટ ચાલુ હોય તો તેની પર મળનારા વ્યાજ પર પણ છૂટ મળે છે.