હવામાન વિભાગ મુજબ હજુ પણ રાજ્યમાં માવઠાની આગાહી છે, જો ફરીથી વરસાદ આવે તો હવે વધી રહેલા પાકને પણ નુકસાન થાય. ત્યારે સૌથી મહત્વનો સવાલ એ છે કે સરકાર સહાય કરવામાં ઝડપ કેમ નથી દાખવતી.
લોહી-પાણી એક કરીને ખેડૂતે રવિ પાક તૈયાર કર્યો અને જયારે મહેનતનું વળતર લેવાનો વખત આવ્યો. ત્યારે કમોસમી વરસાદે ખેડૂતની મહેનત ઉપર પાણી ફેરવી દીધું. રવિ પાક, બાગાયતી પાક, શાકભાજી સહિત મોટાભાગના પાક ધોવાઈ ગયા. સરકારે બેઠક કરીને પ્રાથમિક સરવે કરવા આદેશ તો આપ્યો છે. ત્યારે હજુ પણ 29 અને 30 તારીખે રાજ્યમાં માવઠાની શક્યતા વર્તાઈ રહી છે. માવઠાએ સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં કર્યુ. મહેનત અને ખર્ચ કરતા ઓછુ વળતર મળવાની સમસ્યાથી ખેડૂતો પરેશાન તો હતા જ એવા સમયે કમોસમી વરસાદે ખેડૂતોની રહી સહી આશા ઉપર પણ પાણી ફેરવી દીધું. સૌથી મહત્વનો સવાલ એ છે કે સરકાર સહાય કરવામાં ઝડપ કેમ નથી દાખવતી. ખેડૂતોએ પરસેવો પાડીને તૈયાર કરેલા પાકને નુકસાન થયુ
ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોના પાકને ધોઈ નાખ્યો છે. રવિ પાક, બગાયતી પાક, શાકભાજી સહિતનો પાક ધોવાઈ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ખેડૂતોએ તૈયાર પાકને વેચવાની તૈયારી ગોઠવી રાખી હતી. પરંતુ ઉનાળામાં વરસાદ થતા ખેડૂતોએ પરસેવો પાડીને તૈયાર કરેલા પાકને નુકસાન થયુ. જેના કારણે ફરી એક વખત ખેડૂતને સરકાર પાસે હાથ ફેલાવવાનો વારો આવ્યો.
હવામાન વિભાગ મુજબ હજુ પણ રાજ્યમાં માવઠાની આગાહી છે, જો ફરીથી વરસાદ આવે તો હવે વધી રહેલા પાકને પણ નુકસાન થાય તેવો ખેડૂતોને અંદાજ છે. સરકારના મંત્રીએ ખેડૂતોના નુકસાન અંગે સર્વેની પ્રક્રિયાની વિચારણા અંગે જણાવ્યું છે. સવાલ એ છે કે માવઠાથી નુકસાનીનો સરવે કેવી રીતે થશે? માવઠાથી થયેલા નુકસાનમાં સહાયના માપદંડ શું? રવી પાકને જે નુકસાન થયું તેનું વળતર કઈ રીતે નક્કી થશે? નુકસાનીની ભરપાઈ કરવા ખેડૂત પાસે કોઈ વિકલ્પ છે?
કમોસમી વરસાદથી કયા પાકને નુકસાન?
ઘઉં
જીરુ
રાયડો
કેરી
તમાકુ
કપાસ
ધાણા
એરંડા
શાકભાજી
બાગાયતી પાક
રાજ્યમાં હજુ રહી શકે છે કમોસમી વરસાદનું જોર
હજુ બે દિવસ માવઠાની આગાહી
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં પડી શકે છે વરસાદ
ખેડૂતોના પાક ઉપર તોળાતો ખતરો
29 અને 30 માર્ચે કમોસમી વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી શું?
રાજ્યમાં હજુ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે હજુ બે દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે. ત્યારે ખેડૂતોના પાક ઉપર હજુ પણ ખતરો તોળાઈ રહ્યો છે. આગામી તા. 29 અને 30 માર્ચનાં રોજ કમોસમી વરસાદની શક્યતા છે.
ક્યાં પડી શકે છે વરસાદ?
બનાસકાંઠા
સાબરકાંઠા
દ્વારકા
જામનગર
પોરબંદર
કચ્છ
અમરેલી
કયાં જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ ?
ગીર સોમનાથ
અમરેલી
દ્વારકા
પોરબંદર
રાજકોટ
ખેડા
આણંદ
કચ્છ
બનાસકાંઠા
અરવલ્લી
અમદાવાદ
ગાંધીનગર
ભાવનગર
જૂનાગઢ
જામનગર
સુરેન્દ્રનગર
બોટાદ
નવસારી
સુરત
વલસાડ
સાબરકાંઠા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માવઠાના મુદ્દે બેઠક યોજી હતી
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં નુકસાનની વિગત આપવામાં આવી
27 જિલ્લાના 111 તાલુકામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું હતું
મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લા કલેક્ટરને પ્રાથમિક સરવે હાથ ધરવા કહ્યું
સરકારે શું પગલા લીધા?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માવઠાના મુદ્દે બેઠક યોજી હતી. જે બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં નુકસાનની વિગત આપવામાં આવી હતી. તેમજ 27 જિલ્લાના 111 તાલુકામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું હતું. મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લા કલેક્ટરને પ્રાથમિક સરવે હાથ ધરવા કહ્યું હતું.