તાજેતરમાં ચૂંટણી પંચે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે પંચ કોઈના દબાણ હેઠળ કામ કરતું નથી. પંચના અધિકારીઓએ કહ્યું કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રક્રિયાના ભાગ રૂપે મતની ગણતરી કરવામાં આવી રહી છે.
બિહાર ચૂંટણીમાં અમેરિકા જેવુ થયું
મહાગઠબંધનને પરિણામોમાં ગેરરીતિ થઈ હોવાની શંકા
ચૂંટણી પંચે કહ્યું, અમે કોઈના દબાણમાં કામ કરતાં નથી
બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ 2020ની ગણતરી હજુ શરૂ છે. અત્યાર સુધીના પરિણામોમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. પરિણામોની ઘોષણા વચ્ચે, ઘણા નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે, મતગણતરીમાં ઘણી ગેરરીતિ થઈ છે, ખાસ તો ઘણા નેતાઓએ આક્ષેપ લગાવ્યો હતો સરકારના દબાણમાં EVM મશીન સાથે ચેડા કરવામાં આવ્યા છે. જો કે નેતાઓના આ આરોપોને ચૂંટણી પંચે ફગાવી દીધા છે.
ચૂંટણી પંચે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે પંચ કોઈના દબાણ હેઠળ કામ કરતું નથી. પંચના અધિકારીઓએ કહ્યું કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રક્રિયાના ભાગ રૂપે મતોની ગણતરી કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના ચેપને કારણે, આ વખતે મતદાન મથકો વધુ બનાવવામાં આવ્યા હતા, જેના કારણે મત ગણતરીમાં વિલંબ થાય છે.
માત્ર 146 બેઠકો પર પરિણામ જાહેર થયાં
પરિણામની ઘોષણાની સાથે એક દિવસમાં ત્રીજી વખત એક પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે 243 માંથી 146 પરિણામો અત્યાર સુધીમાં જાહેર થયા છે અને 97 બેઠકો પર ટ્રેન્ડસ ચાલુ છે.
અધિકારીઓએ કહ્યું હતું કે, જે બેઠકોનું અંતર ઓછું છે તે ફરીથી ગણી શકાય. ચૂંટણી પંચના આંકડા મુજબ સાંજના 6 વાગ્યા સુધી 3 સીટોમાં 200 મતોનો તફાવત, 9 બેઠકોમાં 500 મતોનો તફાવત, 17 બેઠકો પર 1000 મતોનો તફાવત, 33 બેઠકો પર 2000 મતોનો તફાવત, 48 બેઠકોમાં 3000 મતનો તફાવત અને 68 બેઠકો પર 5000 મતનો તફાવત છે.
पटना: मुख्यमंत्री नीतीश कुमार द्वारा कथित रूप से मतगणना को प्रभावित करने के मुद्दे को उठाने के लिए राजद और कांग्रेस का प्रतिनिधिमंडल चुनाव आयोग के कार्यालय पहुंचा। pic.twitter.com/bx77D7yEj0
RJD એ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં મોડા થવાની સવાલ ઉઠાવ્યા છે. RJD એ ટ્વીટ કર્યું, 119 બેઠકો જીત્યા બાદ ટીવી પર 109 બતાવવામાં આવી રહ્યા છે. નીતિશ કુમારે તમામ અધિકારીઓને ફોન કરીને તેમઇ પર દબાણ કર્યું છે. અંતિમ પરિણામને આવવા અને અભિનંદન આપવા ના સમયે હવે અધિકારીઓ અચાનક કહે છે કે તમે હારી ગયા છો.
કોંગ્રેસ વતી પ્રદેશ પ્રમુખ મદન મોહન ઝા અને અખિલેશ પ્રસાદ સિંહ પટણામાં ચૂંટણી પંચની કચેરી પહોંચ્યા છે. બીજી તરફ CPI (ML) ત્રણેય બેઠકોની ફરીથી ગણતરી માટે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે.
CPI (ML) ના પોલિટબ્યુરોના સભ્ય કવિતા કૃષ્ણને ચૂંટણી પંચને પત્ર લખીને ત્રણ બેઠકો પર ફરીથી મતગણતરી કરવાની માંગ કરી છે. CPI (ML) ફરીથી ભોર, આરા અને દરુંધા બેઠકો પર મત ગણતરીની માંગ કરી છે.
हम पूर्ण बहुमत प्राप्त कर चुके हैं क्योंकि NDA तथा RJD के बीच इतना अंतर है कि इसमें अब कोई परिवर्तन होने की संभावना नहीं है।इनका(RJD)एक ही एजेंडा है जीते तो ठीक और अगर नहीं जीते तो चीटिंग का आरोप लगाते हैं:RJD द्वारा EVM पर आरोप लगाने पर संजय जायसवाल,BJP #BiharElectionResultspic.twitter.com/Xt33kEVC13
ભાજપે કહ્યું, NDA એ બહુમત પ્રાપ્ત કરી લીધો, હવે મહાગઠબંધન જીતી નહીં શકે
જો કે ભાજપે આ અંગે કહ્યું હતું કે અમે બહુમત પ્રાપ્ત કરી લીધું છે અને એનડીએ અને મહાગઠબંધન વચ્ચે સિતોનું એટલું અંતર છે કે કોણ સરકાર બનાવી શકે છે તે સ્પષ્ટ છે, ભાજપે આરોપ લગાવ્યો હતો કે આરજેડીનું એક જ કામ છે કે જો જીતે તો ઠીક નહીં તો EVM પર આરોપ લગાવવો.
1 घंटे पहले सोशल मीडिया में एक संदेश मिला था कि किसी एक पार्टी द्वारा 119 सीटें जीतने की बात कही गई है। लेकिन सही स्थिति यह है कि अभी तक कुल 146 सीटों पर जीत दिखाई जा रही है और 97 सीटों पर रूझान दिखाए गए हैं : चंद्र भूषण कुमार, उप चुनाव आयुक्त #BiharElectionResultspic.twitter.com/4xU9tdfUmT
સોશિયલ મીડિયામાં કોઈ એક પક્ષને 119 સીટ પ્રાપ્ત થઈ હોવાની હતી અફવા, EC એ કર્યું ખંડન
સોશિયલ મીડિયામાં કોઈ એક પક્ષને 119 સીટો મળવાનો મેસેજ વાયરલ થયો હતો, જેને લઈને ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે હજુ સુધી 146 સીટોના પરિણામ જ આવ્યા છે બાકીની સીટોના માત્ર ટ્રેન્ડ છે અને હજુ ગણતરી શરૂ છે.