શાસ્ત્રોમાં પણ કેટલીક એવી સમસ્યાઓના નિવારણ માટે અનેક ટોટકાના સહારો લઇને સમાધાન મેળવવામાં આવ્યું છે જો કોઇ પોતાની સંપત્તિ કે મકાન વગેરે વેચવા ઇચ્છે છે તો સૌથી પહેલા સમય દિવસ અને શુભ મૂહૂર્તને પણ ઉત્તમ માનવામાં આવ્યું છે જો સારા શુભ મુહૂર્તમાં ટોટકો કરવા પર એની અસર જલ્દી થાય છે. જો તમે પણ જમીન અથવા મકાન વેચવા ઇચ્છો છો પરંતુ વેચાઇ રહ્યા નથી તો આ અસરદાર ટોટકેને એક વખત જરૂરથી અજમાવો. આ ખૂબ જ અસરકારક છે. જે તમારી બધી સમસ્યાને ખતમ કરીને તમારી સંપત્તિ વેચાવી દેશે.
જો તમારી પાસે કોઇ જમીન મકાન પ્લાન્ટ અથવા દુકાન છે જે તમે વેચવા ઇચ્છો છો પરંતુ કોઇ કારણથી વેચાઇ રહી નથી તો આ ટોટકાનો પ્રયોગ કરો.
સવા મીટર સફેદ કપડું લો અને ઉત્તર-પૂર્વ ખૂણામાં પાથરી દો. એ કપડા ઉપર એક એલોવેરાનો છોડ ધોયા બાદ સ્વચ્છ કપડાંથી લૂછીને રાખો એ કપડાંની પાસે એક વાસ્તુ યંત્ર અને એક વાસ્તુ દોષ નિવારણ મંત્ર પણ રાખી દો. ધ્યાન રાખો કે આ પૂજા વિધિ તમારે માત્ર મંગળવારે અથવા શનિવારની રાતે 9 વાગ્યે જ કરવાની છે. બાદમાં ॐ ચૈતન્ય વાસ્તુપુરુષાય નમ: ॐ ચૈતન્ય સથલપુરુષાય નમ: આ મંત્રનો 108 વખત જાપ કરો.
આ ટોટકો સૌથી વધારે કારગાર અને રામબાણ છે. આ કર્યા બાદ 43 દિવસમાં તમારું મકાન વેચાઇ જશે.
86 આખી બદામ લો. સવારના સમયે ઊઠીને સ્નાન કર્યા બાદ કંઇ પણ ખાધા-પીધા વગર 2 બદામ લઇને સીધા શિવ મંદિરે જાવ હવે મંદિકમાં બંને બદામ શિવલિંગ અથવા શિવ જીની આગળ રાખી દો અને ભોલેનાથને પ્રાર્થના કરો કે તમારું મકાન જલ્દીથી વેચાઇ જાય. એમાંથી એક બદામ પાછી ઘરે લઇને આવો અને ગણીને અલગ રાખી દો. આવું 43 દિવસ સુધી નિયમિત કરવાનું છે. 43 દિવસ બાદ આ બદામને નદી અથવા પાણીમાં પ્રવાહિત કરો.
સોમવારે બજારમાંથી 3 ઝાડુ ખરીદીને લઇ આવો. મંગળવારે બ્રહ્મ મુહૂર્ત માં પવિત્ર થઇને ઘરની આરપાસનો કોઇ મંદિરમાં જઇને ઝાડુ ચૂપચાપ મૂકી આવો. આ ટોટકાને કર્યા બાદ તમારું મકાન અથુવા પ્રોપર્ટી જલ્દી વેચાઇ જશે.