ટાઈફોઈડના તાવનો દવા વડે ઈલાજ શક્ય છે, પરંતુ આ ઘરગથ્થુ ઉપચારો દ્વારા પણ રાહત મેળવી શકાય છે. તેમના વિશે જાણો...
ટાઈફોઈડના તાવમાં અપનાવો આ ઘરગથ્થુ ઉપાય
લિક્વિડ ડાયેટથી શરીરમાં રહેશે તાકાત
જાણો શું ખાવાથી મળશે રાહત
ટાઈફોઈડમાં તાવ દર્દીને સૌથી વધુ અસર કરે છે. જેના કારણે શરીર તૂટવા લાગે છે. તેની સાથે બીજી ઘણી સમસ્યાઓ પણ થવા લાગે છે. દવા વડે તેનો ઈલાજ શક્ય છે, પરંતુ આ ઘરગથ્થુ ઉપચારો દ્વારા પણ રાહત મેળવી શકાય છે. તેમના વિશે જાણો...
લિક્વિડ ડાયેટ
ટાઈફોઈડને કારણે મોટાભાગના દર્દીઓ ખાવા-પીવાનું બંધ કરી દે છે અને તેના કારણે તબિયત વધુ બગડી શકે છે. ટાઈફોઈડમાં દર્દીએ વધુમાં વધુ પ્રવાહી ખોરાક લેવો જોઈએ. દિવસમાં એકવાર નારિયેળ પાણી પીવો અને તાજા ફળોનો રસ પીવો પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય તમે દર્દીને અન્ય લિક્વિડ વસ્તુઓ પણ આપી શકો છો.
લસણનો ઉપાય
ભોજનનો સ્વાદ વધારતા લસણનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં પણ થાય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ લોહીને શુદ્ધ કરે છે અને જામેલા કફને બહાર કાઢવામાં મદદ કરે છે. તમે તેને શાકમાં ખાઈ શકો છો અથવા કાચુ પણ ખાઈ શકો છો.
તુલસી
અનેક ઔષધીય ગુણો ધરાવતી તુલસી કોઈપણ પ્રકારના તાવની સારવારમાં અસરકારક માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને ટાઈફોઈડનો તાવ હોય તો તેને દરરોજ તુલસીનું પાણી પીવડાવવું જોઈએ. સામાન્ય રીતે સવારે ખાલી પેટે તુલસીના પાન ચાવવા જોઈએ.
એપલ સાઇડર વિનેગર
તેના એસિડિક ગુણધર્મો ટાઇફોઇડ તાવને મટાડવામાં સક્ષમ છે. વિનેગર ટાઈફોઈડના દર્દીના શરીરમાંથી નીકળતી ગરમીને ઘટાડી શકે છે. તે તાવને ઓછો કરવા ઉપરાંત શરીરમાં પોષક તત્વોની ઉણપને પણ દૂર કરે છે.