પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ઘમાસણની વચ્ચે વાતચીતોની પહેલની શરૂઆત થઈ છે. નવજોતસિંહ સિદ્ધુ ગુરુવારે બપોરે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથે મુલાકાત લેશે.
સિદ્ધુના રાજીનામા બાદ પંજાબમાં ભારે ઘમાસાણ મચ્યું હતું
નવજોત સિંહ સિદ્ધુ ટ્વિટ કરીને જાણકારી આપી
CM ચન્નીએ તાજેતરમાં કહ્યું હતું કે, તેઓ સિદ્ધુ સાથે ચર્ચા કરશે
Chief Minister has invited me for talks … will reciprocate by reaching Punjab Bhawan, Chandigarh at 3:00 PM today, he is welcome for any discussions !
પંજાબમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહેલા રાજકીય ઘમાસાણ હજી પુરી રીતે પુરુ થયું નથી પ્રદેશ અધ્યક્ષ પદથી રાજીનામા બાદ નવજોત સિંહ સિદ્ધુએ રાજ્ય સરકારને પણ નિશાના પર લીધા હતાં. પરંતુ હવે ગુરુવારે તેઓ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની જોડે મુલાકાત કરશે. આ અંગેની જાણકારી તેઓએ ટ્વિટ કરીને આપી હતી. જેમાં તેઓ જણાવ્યું છે કે, મુખ્યમંત્રીએ તેમને વાતચીત કરીને આમંત્રિત કરવામાં આવ્યો છે. ચંદીગઢના પંજાબ ભવનમાં બપોરે 3 વાગ્યે તેઓ મુલાકાત લેશે. કોઈ પણ ચર્ચા માટે તેમનું સ્વાગત છે
સિદ્ધુના રાજીનામા બાદ પંજાબમાં ભારે ઘમાસાણ મચ્યું હતું
તમને જણાવી દઈએ કે, નવજોત સિંહ સિદ્ધુએ આરોપો લગાવ્યા હતા કે, રાજ્ય સરકારમાં કેટલાક પદો પર કલંકિત લોકોની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાંથી કેબિનેટ મંત્રી, એડવોકેટ જનરલ ડીજીપીનું નામનો પણ સમાવેશ કરાયો છે. આ સાથે નિયુક્તિઓમાં નવજોત સિંહ સિદ્ધુનું ના સાંભળવામાં આવતાં તેઓ આ મામલે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ કોઈ પણ ભોગે સમાધાન નહીં કરી શકે. ત્યાર પછી પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલું ભારે ઘમાસાણ ખુલ્લીને સામે આવી રહ્યું છે.
CM ચન્નીએ તાજેતરમાં કહ્યું હતું કે, તેઓ સિદ્ધુ સાથે ચર્ચા કરશે
જો કે, મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે જણાવ્યું હતું કે, નવજોત સિંહ સિદ્ધુ સાથે વાત કરી છે. અને જલ્દીથી જ ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે, પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં પહેલા નવજોત સિંહ સિદ્ધુએ કેપ્ટન અમરિંદર વિરૂદ્ધ મોરચો ખોલ્યો હતો. ત્યારે કેપ્ટનનું રાજીનામું આવ્યું હતું. બાદમાં નવા મુખ્યમંત્રીને લઈને ભારે વિવાદ થયો તો અંતમાં કોંગ્રેસ હાઈકમાન્ડે ચરણજીત સિંહ ચન્ની પર મહોર લગાવી લીધી હતી. નવજોત સિંહ સિદ્ધુના આ રીતે આપેલા રાજીનામા બાદ ભારે વિવાદ થયો હતો. મનિષ તિવારી સહિત અન્ય નેતાઓ સિદ્ધુ પર નિશાનો સાધ્યું હતું. અને પાર્ટીના હાઈક્માન્ડના નિર્ણય પર સવાલ ઉભા કર્યા હતાં.