ગાંઘીનગર ખાતે આજે PM મોદી અને અમિત શાહના કાર્યક્રમને લઈને પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે.જેના પગલે ગાંઘીનગર ખાતે કુલ 2 હજાર જેટલો પોલીસ કાફલો ખડકી દેવાયો છે.
ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું
PM મોદીના કાર્યક્રમને લઈને એલર્ટ
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખડેપગે
ગાંધીનગરનું મહાત્મા મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું
ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે આજે યોજાનારા સહકારથી સમૃદ્ધિ સુધીના સંમેલનનું આયોજના કરાવામાં આવ્યું છે. જેમાં PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. જેને લઈને તેમની સુરક્ષાને લઈને IPS કક્ષાના 7 પોલીસ અધિકારીઓને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં 25 DySP કક્ષાના પોલીસ અધિકારીઓ, 60 PI, 150 PSI કક્ષાના પોલીસકર્મીઓ, 1758 પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 2 હજાર જેટલો પોલીસ કાફલો સુરક્ષા બંદોબસ્તમાં ખડેપગે રહેશે.
At around 4 PM, he'll address the Seminar of leaders of various cooperative institutions on 'Sahakar Se Samriddhi' at Mahatma Mandir, Gandhinagar, where he will also inaugurate the Nano Urea (Liquid) Plant constructed at IFFCO, Kalol.
ઉલ્લેખનીય છે કે, આજે બપોરે 4 કલાકે, પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે, જ્યાં તેઓ IFFCO, કલોલ ખાતે નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે.પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલું તરીકે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.