અમદાવાદમાં કલેકટર કચેરી ખાતે બ્રહ્મ વિકાસ આયોગની માગ સાથે બ્રહ્મ સમાજના આગેવાનો આમરણાંત ઉપવાસ પર બેઠયા છે. 20થી વધુ બ્રહ્મ સમાજના અગ્રણી આમરણાંત ઉપવાસ પર બેઠયા છે. પોલીસ મંજૂરી વગર બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપવાસ પર બેઠયા છે.
કર્મકાંડી બ્રાહ્નણ ધાર્મિક વિધિ સાથે સંકળાયેલા હોવાથી આર્થિક પરિસ્થિતિ સારી નથી. અને તેમના માટે સરકાર અલગ બ્રહ્મ વિકાસ આયોગની સ્થાપના કરે તેવી માંગ કરી રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે ગત 26જાન્યુઆરીએ વિશાળ રેલી યોજી સરકારને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ સરકાર તરફથી કોઇ ખાસ ધ્યાન અપાયુ નથી. જેથી બ્રાહ્નણો આમરણાંત ઉપવાસ પર બેઠા છે.