નવા મુખ્યમંત્રીની ઘોષણા બાદ મંત્રી મંડળમાં મોટા ફેરબદલ -6 કે તેથી વધુ મંત્રીઓની ખુરશી જશે. 'પરફોર્મન્સ રિવ્યુ'નાં આધારે મંત્રી મંડળમાં થશે ફેર બદલ.
નવા મુખ્યમંત્રીની અટકળો વચ્ચે મોટા સમાચાર
ગુજરાતના મંત્રી મંડળમાં થશે ફેરબદલ
બિન અસરકારક કામગીરી કરનારાને મુકાશે પડતા
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પદ પરથી રાજીનામું આપ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ કેબીનેટ રિ-સફલીંગના મોટા સમાચાર આવી ગયા છે.ભાજપમાં મુખ્યમંત્રી કોણ બનશે એ બહુધા નક્કી જ છે કેટલીક ઔપચારિકતા પૂર્ણ કરવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારે રાત્રે અમદાવાદ પહોચી રહ્યા છે. રવિવારે ધારાસભ્ય દળની બેઠક મળશે અને ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામ પર સહમતી આપશે. આ વચ્ચે,મંત્રી મંડળમાં પણ ફેરફાર થશે. રાજ્યના છ જેટલા મંત્રીની કામગીરી અસરકારક ના હોવાની વાત સામે આવી છે એટલે 6 કે તેથી વધુ મંત્રીઓની ખુરશી જોખમાવાની શક્યાતાને નકારી શકાય નહિ.
પરફોર્મન્સ 'રિવ્યુ'-મોદી શૈલી
ગુજરાતના નવા મુખ્યમંત્રી કોઈ પણ હશે.પરંતુ નવા મંત્રી મંડળમાં ફેરબદલ ચોક્કસ હશે. જેમ વડાપ્રધાન મોદી ખુદ, કેન્દ્રીય મંત્રી મંડલમાં પરફોર્મન્સ રીવ્યુ કરે છે.તેમ ગુજરાતમાં પણ વિજય રૂપાણીની વિદાય સાથે 'ગજીફો ચિપાશે'.એટલે રૂપાણી સરકારમાં બિન અસરકારક કામગીરી જે મંત્રીઓના ખાતામાં દેખાશે તેમને મંત્રી મંડળમાંથી બહાર કરવામાં આવશે.જો કે, જ્ઞાતિ-જાતિના સમીકરણ સાચવવા જે મંત્રીઓને સ્થાન અપાયા છે અને વિસ્તારનું પ્રતિનિધિત્વ પણ સચવાઈ રહે તેવો આશય સરકારનો હશે.પણ,હવે મુખ્યમંત્રી બદલાતા આ સમીકરણો પણ બદલાઈ જશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ થઇ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા હતા.
રૂપાણીનું 'મિચ્છામી દુકડમ'- પાર્ટીનો આભાર
મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાને લઇ વિજય રૂપાણીએ કહ્યું કે હું ભાજપનો આભાર માનુ છું. મને તક આપવા બદલ PM મોદી અને અમિત શાહનો આભાર. મને પાર્ટી તરફથી જે જવાબદારી મળશે તે હું નિભાવીશ. મેં સંગઠનમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી છે. અને મને જે જવાબદારી સોંપવામાં આવશે તે નિભાવીશ. મને સમગ્ર ગુજરાતની જનતાનો સારો સહયોગ મળ્યો છે. મને જે જવાબદારી મળશે તે સ્વીકારીશ. વિજય રૂપાણીએઅ કહ્યું કે નવા નવા નેતૃત્વ ભાજપ જ કરી શકે છે. આ રીલે રેસ છે બધા દોડતા જાય છે અને આગળ વધે છે. મેં મારી રાજીખુશીથી રાજીનામું આપ્યુ છે. PM મોદીના નેતૃત્વમાં ગુજરાતની ચૂંટણી લડશે.
'16 માં સંભાળ્યો પદભાર
07-08-2016થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળનારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ખૂબ જ વિનમ્ર અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ બાળપણથી જ સંઘના પ્રખર સ્વયંસેવક રહ્યા છે.
જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્મામાં થયો
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્મા (રંગૂન શહેર)ખાતે થયો છે. લો પ્રોફાઈલ ધરાવતા CM રૂપાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તો વિદ્યાર્થી કાળમાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી માટે વિરોધ પ્રદર્શનની આગેવાની કરી હતી. તો કટોકટી દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.