ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાવ રૂપે આજે પ્રદેશ કાર્યાલય ખાતે કારોબારી બેઠક મળી રહી છે,
ગાંધીનગર કમલમ ખાતે ભાજપની કારોબારી બેઠક
ભાજપ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષસ્થાને યોજશે પ્રદેશ કારોબારી
રાજકીય પ્રસ્તાવો સહિતના અનેક ઠરાવો થશે પસાર
ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાવ રૂપે આજે પ્રદેશ કાર્યાલય ખાતે કારોબારી બેઠક મળી રહી છે, જેમાં આગામી ચૂંટણીઓને લઈ રણનીતિ તૈયાર કરવામાં આવનાર છે, મહત્વનું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સારા પ્રદર્શન બાદ હવે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ લાગી ગયું છે.
2022ની ચૂંટણી અંગે બેઠકમાં થશે મંથન
ભાજપ વિધાનસભાની 182 બેઠકો કબ્જે કરવા માટે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. કોરોના કાળમાં ખરડાયેલી ભાજપની છબીને સુધારવા માટે હવે ગ્રાઉન્ડ લેવલે કામગીરી સમીક્ષા કરવા બેઠકો યોજવામાં આવી રહી છે હવે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાનો દબદબો જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવશે.
સરકારી યોજના ઘરે ઘરે પહોંચડવાનું પ્લાન
ગુજરાતના રાજકારણમાં આપ પાર્ટીએ પણ પગ પેસારો કર્યો છે જેને લઈ હવે ત્રિપાંખીઓ જંગ ખેલાય તેવી પણ સંભાવના વર્તાઈ રહી છે. આપના આગમન થતા ગુજરાતમાં આપ હવે વિપક્ષ તરીકે પણ સત્તામાં આવી શકે છે ત્યારે ગાંધીનગર ખાતે આજે 2 વર્ષ બાદ કારોબારીની બેઠક મળી રહી છે બે વર્ષના લાંબા સમય ગાળા બાદ પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક મળી રહી છે.
182 સીટ જીતવાના ભાજપના ટારગેટ મુદ્દે મંથન
આ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાશે જેમાં મંત્રી મંડળના અને ભાજપના સંગઠન હોદેદારો હાજર રહેશે પરંતુ સૌથી ખાસ એ હશે કે, આ બેઠકમાં હાજર રહેનારા તમામ લોકો વર્ચ્યુઅલી જોડાશે પ્રદેશ ભાજપની આ કારોબારી એટલા માટે ખાસ હશે કારણ કે, આગામી વર્ષે એટલે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પોતાનો દબદબો બનાવી રાખવા માટે તમામ પ્રયાસો કરશે એટલે આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીને અનુસંધાને અનેક ઠરાવો પણ પસાર થઈ શકે છે આ બેઠકમાં ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દિલ્હીથી જોડાશે.
કોરાના કાળમાં ભાજપની ખરડાયેલી ઇમેજ મુદ્દે મંથન
182 સીટ જીતવાના ભાજપના ટારગેટ મુદ્દે મંથન કોરાના કાળમાં ભાજપની ખરડાયેલી ઇમેજ મુદ્દે મંથન કરવામાં આવશે તેમજ ચૂંટણી પહેલા લોકો વચ્ચે સરકારની પ્રતિભા ઉજાગર કરવા કવાયત પણ હાથ ધરાશે તેમજ ગ્રામિણ ગુજરાતમાં ભાજપની પાર્ટીની ઇમેજ સુધારવા પ્રયાસો હાથ ધરાશે, મહત્વનું છે કે કોરોનાને ભુલી સરકારી યોજના ઘરે ઘરે પહોંચડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં ભાજપને વધુ મજબુત બનાવવા સ્ટ્રેટેજી
પીએમ નરેન્દ્ર મોદીના ચહેરા થકી પ્રચાર-પ્રસારની ઝુંબેશ હાથ ધરવામાં આવી શકે છે, કોંગ્રેસ અને આપની સ્ટ્રેટેજીને ખાળવા ચર્ચા સૌરાષ્ટ્રમાં ભાજપને વધુ મજબુત બનાવવા સ્ટ્રેટેજી નેતા અને કાર્યકરોને વધારેમાં જવાબદારો સોંપાઈ શકે છે વધારે લોકો સુધી પહોંચવા ચોક્કસ બ્લુપ્રિન્ટ જાહેર કરી શકે છે તેમજ યુવા અને નવા નેતૃત્વના સ્વિકાર મુદ્દે સર્વ સમંતિથી સંગઠન અને સરકારમાં મોટા નિર્ણયો જાહેર પણ થઈ શકે છે