ખીમાભાઈની ઉમર અંદાજે 116 વર્ષની છે. જયારે તેમના પત્ની સુમરીબેનની ઉંમર 110 વર્ષની છે. સદી વટાવી ચુકેલા વડીલ દંપતી નિરોગી જીવન વ્યતિત કરે છે.
સદી પુરી કરતું વડીલ દંપતી
116 વર્ષની ઉંમરના અડિખમ દાદા
વર્ષોથી બાજરી અને જુવારના રોટલો ખાય છે
પોરબંદરના રતનપર ગામે રહેતા વૃદ્ધ ખીમાભાઈ ભીમાભાઈ ઓડેદરા આજે 116 વર્ષની ઉંમરે પણ અડીખમ છે. તેઓ આઝાદીની ઉજવણીમાં પણ સહભાગી બન્યા હતાં. 116 વર્ષની ઉંમર હોવાં છતાં ખીમાભાઈ ખેતરમાં કામ કરે છે. ચાલીને ગામ સુધી જાય છે અને આવે છે. અને તેઓ વર્ષોથી બાજરી અને જુવારના રોટલો ખાઈ છે. ચાલવામાં જુવાનને પાછળ છોડી દે તેવો જુસ્સો આજે પણ તેમનામાં જોવા મળી રહ્યો છે.
પોરબંદર નજીકના રતનપર ગામે રહેતા ખીમાભાઈ ભીમા ઓડેદરાનો જન્મ વિક્રમ સંવત 1960 માં થયો હતો. આજે ખીમાભાઈની ઉમર અંદાજે 116 વર્ષની છે. જયારે તેમના પત્ની સુમરીબેનની ઉંમર 110 વર્ષની છે. સદી વટાવી ચુકેલા વડીલ દંપતી નિરોગી જીવન વ્યતિત કરે છે.
ખીમાભાઈના પ્રથમ લગ્ન 25 વર્ષની વયે થયા હતા અને બીજા લગ્ન 40 વર્ષની વયે થયા હતાં. તેમને સંતાનોમાં બે મોટી દીકરી અને ચાર દીકરા છે. જેમાં તેમની મોટી દીકરી 75 વર્ષની ઉંમરના છે. ખીમાભાઈ હાલ ચોથી પેઢી સાથે રહે છે. ખીમાભાઈ પોરબંદરના રાજવી નટવરસિંહજીના ચોકીદાર તરીકે વર્ષો સુધી કામ કર્યુ છે. ત્યાર બાદ 50 વર્ષ સુધી રતનપરના સરપંચ અને જીલ્લા અને તાલુકા પંચાયતાના સભ્ય તરીકે બીનહરીફ ચુંટાઈ આવ્યા હતાં. તેમણે ગાંધીજી સાથે રાજાશાહી વખતમાં ભોજન પણ સાથે કર્યુ હતું. જયારે આઝાદી મળી ત્યારે પોરબંદર ના સુદામાચોક માં યોજાયેલા આઝાદી ની ઉજવણી માં પણ સહભાગી બન્યા હતાં.
ખીમાભાઈએ પોતાના જીવનામાં બહારનુ ભોજન કયારેય કર્યુ નથી. બહાર ગામ જાય તો માત્ર ફ્રૂટ ખાઈ અને દીવસ પસાર કરતાં હતાં. ખીમાભાઈ આજે પણ ખેતી કામ કરે છે અને પશુઓનું જતન પણ કરે છે. ખીમાભાઈ નાના પુત્રએ જણાવ્યુ હતું કે તેમના પિતાએ પોતાની આગળની બે પેઢી અને હાલ ચાર પેઢી જોઈ છે. નાનાપણમાં ખીમાભાઈના માતા પિતાનું અવસાન થયું હતું અને પોતાના મહેનતથી પરીવારનું જતન કર્યુ છે. તેઓ ચાર પેઢી સાથે રહી અને નિરોગી જીવન ગાળે છે.