મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યો એક પછી એક ઉદ્ધવ ઠાકરેને છોડતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ ગુવાહાટીમાં બેઠેલા બળવાખોર નેતા એકનાથ શિંદેનું જૂથ મજબૂત બની રહ્યું છે.
મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં ચેક એન્ડ મેટની રમત ચાલુ
ગુવાહાટીમાં બેઠેલા બળવાખોર નેતા એકનાથ શિંદેનું જૂથ બની રહ્યું મજબૂત
શિંદે જૂથ પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ નહીં થાય.
મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં ચેક એન્ડ મેટની રમત ચાલુ છે.
એક તરફ બળવાખોર નેતા એકનાથ શિંદેનું જૂથ મજબૂત બની રહ્યું છે. બીજી તરફ એક પછી એક ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેથી અલગ થતા જોવા મળી રહ્યા છે. ગઈકાલે મળેલી શિવસેનાના ધારાસભ્યોની બેઠકમાં પાર્ટીના માત્ર 13 ધારાસભ્યો જ પહોંચ્યા હતા.જ્યારે મહારાષ્ટ્રમાં તેમની પાસે 55 ધારાસભ્યો છે. એટલે કે બાકીના 42 ધારાસભ્યો શિંદે જૂથ સાથે હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. તેમાંથી 37 ધારાસભ્યો પણ શિંદેની નજીક ગુવાહાટી પહોંચી ગયા છે. એટલે કે હવે શિંદે જૂથ પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ નહીં થાય.
આજે શું થવાની શક્યતાઓ છે?
- ઉદ્ધવ ઠાકરે શિવસેનાના જિલ્લા પ્રમુખો સાથે વાત કરશે. મળતી માહિતી મુજબ, એકનાથ શિંદેનું જૂથ પાર્ટીના પ્રતીક ધનુષ અને તીર પર પોતાનો દાવો દાખવવાનું છે. એટલા માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- આજે બધાની નજર ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ પર રહેશે. ગઈ કાલે, ઉદ્ધવ જૂથે તેમને 12 બળવાખોર ધારાસભ્યો (શિંદે સહિત)ની યાદી આપી છે. તેમને ગેરલાયક ઠેરવવા માંગ ઉઠી છે. બીજી તરફ શિંદેએ પોતાને ધારાસભ્ય દળના નેતા ગણાવ્યા છે. તેમણે ડેપ્યુટી સ્પીકરને પણ પત્ર મોકલ્યો છે.
- દેવેન્દ્ર ફડણવીસ આજે દિલ્હીમાં છે. તેઓ અમિત શાહ સાથે વાતચીત કરશે.
- આજે ડેપ્યુટી CM અજિત પવાર પર પણ નજર રહેશે. ગઈ કાલે કાકા શરદ પવારે તેમના દાવાને સદંતર નકારી કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અજિત પવારે કહ્યું હતું કે શિંદેના બળવા પાછળ ભાજપનો હાથ છે.
શરદ પવારે બળવાખોરોને ચેતવણી આપી
શરદ પવાર પણ મહાઅઘાડી સરકારને બચાવવા એક્શનમાં છે. તેમણે શિંદેના સાથીદારોને એક સ્પષ્ટ સંદેશો આપ્યો છે. કહેવામાં આવ્યું છે કે તેમને ભારે કિંમત ચૂકવવી પડશે. પવારે કહ્યું કે બહુમતનો નિર્ણય વિધાનસભાના ફ્લોર પર કરવામાં આવશે.
શિંદે શિવસેનાના 37 ધારાસભ્યો સાથે
શિંદેએ ઈશારામાં ભાજપને સુપર પાવર ગણાવ્યો છે. તેમણે બળવાખોર ધારાસભ્યોને કહ્યું છે કે ડરવાની જરૂર નથી કારણ કે સૌથી મોટી તાકાત અમારી સાથે છે. દરમિયાન ગઈકાલે વધુ બે ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા હતા. હવે શિંદે જૂથમાં શિવસેનાના 37 ધારાસભ્યો છે.
શિંદે જૂથના 12 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ
શિવસેનાએ બળવાખોર ધારાસભ્યો સામે કડક પગલાં લીધા છે. શિંદે જૂથના 12 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે ડેપ્યુટી સ્પીકરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, બેઠકમાં હાજર ન રહેવા બદલ તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. બીજી તરફ શિંદેએ ઉપાધ્યક્ષ અને રાજ્યપાલને પત્ર લખીને બદલામાં શિવસેનાની કાર્યવાહીની માંગ કરી છે. તેમણે દાવો કર્યો છે કે તેમની છાવણીમાં શિવસેનાના 37 ધારાસભ્યો છે. શિંદેએ પોતાને વિધાયક દળના નેતા ગણાવ્યા છે.
Rebel Shiv Sena leader Eknath Shinde wrote to the Deputy Speaker of Maharashtra Assembly regarding the reaffirmation of his appointment as the leader of the Shiv Sena Legislature Party & further appointment of Bharatshet Gogawale as the Chief Whip of the party. pic.twitter.com/M0yIYI7sia
જો કે શિવસેના અને સરકાર માટે ચિંતાની બાબત એ છે કે 37 ધારાસભ્યોએ આ પત્રમાં સહી કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનાએ શિંદેને મહારાષ્ટ્ર વિધાનસભામાં પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પદ પરથી હટાવી દીધા હતા. શિંદેના સ્થાને અજય ચૌધરીને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા. આ પછી બુધવારે શિવસેના તરફથી વ્હીપ જારી કરીને ધારાસભ્યોને ધારાસભ્ય દળની બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. જેમાં બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા ન હતા