TMC એ મમતાને રાષ્ટ્રીય સ્તરે વિપક્ષના નેતા તરીકે રજૂ કરવાનું શરુ કર્યું
ટીએમસીએ સીએમ મમતા બેનરજીને રાષ્ટ્રીય સ્તરે વિપક્ષના નેતા તરીકે રજૂ કરવાનું શરુ કરી દીધું છે. પાર્ટીના મુખપત્ર જાગો બાંગ્લામાં લખાયું કે રાહુલ ગાંધી સફળ નેતા નથી. ફક્ત મમતા બેનરજી જ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો સામનો કરી શકે છે.
લેખમાં પાર્ટીના લોકસભા સાંસદ સુદીપં બંદોપાધ્ય સહિતના ઘણા નેતાઓના નિવેદન છે. ટીએમસી બેઠકમાં નેતાઓએ જણાવ્યું કે વિપક્ષી છાવણીમાં કોંગ્રેસનું હોવું જરુરી છે. પરંતુ રાહુલ ગાંધી ઘણા પ્રસંગે નિષ્ફળ રહ્યાં છે. લેખમાં કહેવાયું કે ટીએમસી મમતાને મોદીનો વિકલ્પ બનાવીને એક અભિયાન ચલાવશે.
મમતાને વિકલ્પની જેમ પ્રોજેક્ટ કરશે-ટીએમસી
મુખપત્રમાં લખાયું કે બંધોપાધ્યાયને બેઠકમાં જણાવ્યું કે દેશને એક વિકલ્પની જરુર છે. પત્રમાં બંધોપાધ્યે જણાવ્યું કે હું ઘણા લાંબા સમયથી રાહુલ ગાંધીને ઓળખું છે. પરંતુ મને કહેવાની ફરજ પડી રહી છે કે રાહુલ ગાંધી મોદીના વિકલ્પ બનવામાં નિષ્ફળ નીવડ્યાં છે. દેશ હવે મમતાને ઈચ્છે છે. અમે બધા વિપક્ષી દળો સાથે વાત કરીશું અને મમતા બેનરજીને એક વિકલ્પ તરીકે રજૂ કરીશું.