કોરોના મહામારીને નાથવા માટે કેન્દ્ર સરકારે અપનાવેલા એક્શન પ્લાન મુજબ કોરોનાના ટેસ્ટની સંખ્યા વધારવાની સીધી અસર નવા કેસના આંકડામાં દેખાઈ રહી છે. સતત નવા પોઝિટિવ કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
કોરોનાના કેસમાં ઉછાળો
આજે પણ 83 હજારથી વધુ નોંધાયા કેસ
મોતના આંકડામાં પણ ચિંતાજક રીતે થઇ રહ્યો છે વધારો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૮૩,૩૪૧ નવા કેસ નોંધાયા છે. સતત બીજા દિવસે દેશમાં કોરોનાના ૮૩ હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૦૯૬ લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં છે.
રિકવરી રેટ ૭૭.૧ ટકા થયો
આ સાથે દેશમાં કોરોનાના અત્યાર સુધીના કેસની સંખ્યા ૩૯,૩૬,૭૪૭ થઈ ગઈ છે, જેમાંથી ૩૦,૩૭,૧૫૧ લોકો સાજા પણ થયા છે. સાજા થવાનો દર (રિકવરી રેટ) ૭૭.૧ ટકા પર પહોંચ્યો છે.
દેશમાં હાલ ૮,૩૧,૧૨૪ એક્ટિવ કેસ
દેશમાં હાલ ૮,૩૧,૧૨૪ એક્ટિવ કેસ છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૬,૬૫૯ લોકો સારવાર બાદ સાજા થયા છે, જ્યારે નવા ૧,૦૯૬ મોત સાથે કુલ મૃત્યુઆંક ૬૮,૪૭૨ થયો છે.
જાણકારોના મતે સરકારે અચાનક જ કોરોનાના ટેસ્ટમાં વિક્રમી વધારો કરાતાં નવા કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૧,૬૯,૭૬૫ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. આ સાથે જ અત્યાર સુધી દેશમાં ૪,૬૬,૭૯,૧૪૫ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ ટેસ્ટની સંખ્યા વધારવાની સરકારની યોજના છે, જેનાથી નવા કેસમાં પણ વધુ ઉછાળો જોવા મળશે તે નક્કી છે.