કોરોના વાયરસની મહામારીને કારણે દેશમાં લાગૂ થયેલું લૉકડાઉન હજુ 2 અઠવાડિયા સુધી લંબાવવામાં આવી શકે છે. જો લૉકડાઉન લંબાવવામાં આવશે તો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અચોક્કસ મુદ્દત માટે સ્થગિત થઇ જશે.
BCCI ના અધિકારી અનુસાર, IPL રદ્દ થવા પર 3000 કરોડ રૂપિયાનું થશે નુકસાન
કોરોના વાયરસ અને વીઝા પ્રતિબંધને કારણે 29 માર્ચથી થનારી IPL હવે 15 એપ્રિલ સુધી ટાળવામાં આવી છે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કેન્દ્ર સરકારની સત્તાવાર જાહેરાતની રાહ જોઇ રહ્યુ છે. જોકે શનિવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી, જેમાં સહમતી વ્યક્ત થઇ હતી કે લૉકડાઉન લંબાવવુ જોઇએ, જે પછી મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સહિતના ઘણા રાજ્યોમાં લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી દીધી છે.
BCCI માં આ મામલે જોડાયેલા એક અધિકારીએ ગુપ્તતા રાખવાના શરતે જણાવ્યુ છે કે, 3 રાજ્યો પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકે પહેલા જ કહી દીધુ છે કે તેઓ લૉકડાઉન લંબાવશે. તેનો મતલબ એ છે કે હજુ IPL શક્ય બનશે નહી પરંતુ રદ્દ થશે નહી. તેને અચોક્કસ મુદત માટે ટાળી દેવામાં આવી શકે છે. IPL નું આયોજન 29 માર્ચથી 24 મે દરમિયાન કરવાનું હતુ પરંતુ COVID 19 ની મહામારીને કારણે તેને 15 એપ્રિલ સુધી મુલતાવી રાખવામાં આવી હતી.
સૂત્રોનુસાર, બોર્ડે IPL રદ્દ કરી શકે તેમ નથી જો આમ થયુ તો 3000 કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે. BCCI ના તમામ સ્ટોકહોલ્ડર્સ સાથે મળીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેના માટે સ્થિતિ સામાન્ય થાય તે જરૂરી છે. BCCI ના અધિકારીઓ માટે કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી.