દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, તે વચ્ચે કેન્દ્ર સરકાર ભારતના રાજ્યોમાં ટીમ મોકલી શકે છે. આ પહેલા ચાર રાજ્યોમાં ટીમ મોકલવામાં આવી છે.
ભારતમાં કોરોનાના કેસની સંખ્યા વધી
કેન્દ્ર સરકારે રાજ્યોમાં મોકલી ટીમ
ચાર રાજ્યોમાં આ ટીમ પહોંચી
હરિયાણા, મણિપુર, ગુજરાત અને રાજસ્થાનમાં કેન્દ્રએ સુપરવિઝન માટે ટીમ મોકલી છે. દરેક રાજ્યમાં નવા કેસનો વધારો રોજ થાય છે જેના કારણે કેન્દ્ર સરકાર પણ ખુબ પરેશાન છે. જેના કારણે જ આ પ્રકારે ટીમ મોકલવામાં આવી છે.
રાજ્યોમાંથી કહેવામાં આવ્યું છે કે, વધારે થી વધારે ટેસ્ટિંગ માટે અભિયાન ચલાવવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું હતુ કે લાંબા સમય સુધી પોઝીટીવ કેસ પકડમાં ન આવવાને કારણે સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે.
કેન્દ્રિય આરોગ્ય ટીમ કાલે ગુજરાતમાં
દેશભરમાં જ્યારે કોરોના સંક્રમણ વધી રહ્યો છે ત્યારે આવતીકાલે કેન્દ્રની આરોગ્ય ટીમ ગુજરાતમાં આવશે. તે 3 નિષ્ણાત તબીબોની ટીમ મુલાકાત કરશે. સાથે જ ડો. રામ મનોહર લોહિયા અને ગુજરાત કેડરના આઈએએસ ડી થારા મુલાકાત કરશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની પણ કેન્દ્રિય આરોગ્ય ટીમ મુલાકાત કરશે. તે બાદ રાજ્ય આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરશે. એનસીડીસીના ડાયરેક્ટર ડો.સુજીત કુમાર પણ ગુજરાત આવશે.
શું કામ કરશે કેન્દ્રની ટીમ
મહત્વનું છે કે સરકારની ટીમ જે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધારે હશે ત્યાં જઇને સંક્રમણને રોકવામાં મદદ કરશે. સાથે જ નિયંત્રણ ઉપાયો, તપાસ, સુપરવિઝન અને કાયદો વ્યવસ્થા જળવાય તેનું ખાસ ધ્યાન રાખશે.
કેન્દ્ર સરકારે કહ્યું કે દિલ્હીમાં રોજ કોરોનાના કેસ આવે છે અને મોતમાં પણ વધારો થાય છે. જેનો પ્રભાવ હરિયાણા અને રાજસ્થાનમાં પણ જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્ર અને દિલ્હીની ચિંતા
કેન્દ્ર માટે મહારાષ્ટ્ર અને દિલ્હીની ચિંતા વધી છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 5535 નવા કેસ સામે આવ્યા છે, જેની સાથે મહારાષ્ટ્રમાં કોરોના કેસની કુલ સંખ્યા 17,63,055 થઇ ગઇ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જાણકારી આપી હતી. મૃતકોની સંખ્યા 46,356 થઇ ગઇ છે.
વધુમાં અધિકારીએ કહ્યું કે કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ આજે 5860 લોકોને રજા આપી દેવામાં આવી છે. જેની સાથે જ સાજા થનાર લોકોની સંખ્યા 16,35,971 થઇ ગઇ છે. હાલમાં 79,738 જેટલા દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો છે.
દિલ્હીમાં ગુરુવારે કોવિડ-19ના કુલ 7546 નવા કેસ આવ્યા હતા. તેની સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 5.1 લાખ થઇ ગઇ હતી. જ્યારે 98 લોકોના મૃત્યુથી 8041 થઇ જવા પામી હતી.
તહેવારના કારણે વધ્યા કેસ
શહેરમાં તહેવારના અને વધતા પ્રદુષણના કારણે સંક્રમણ રેટ 12.09 છે. દિલ્હીમાં 11 નવેમ્બરે સૌથી વધારે કેસ 8593 આવ્યા હતા. જેમાંથી 85 લોકોના મૃત્યુ થઇ ગયા હતા. જે બાદ મૃતકોની સંખ્યા 8000થી વધારે થઇ ગઇ હતી. હાલમાં 43221 દર્દીઓની સારવાર લઇ રહ્યાં છે.