ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કોરોના કાળમમાં મોકૂફ રાખવામાં આવેલી ગાંધીનગર મનપાની ચૂંટણી આગામી સમયમાં યોજાઈ શકે છે
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ મોટા સમાચાર
કોરોનાના કેસો ઘટતા લેવાશે ચૂંટણી અંગે નિર્ણય
શહેરમાં 78 ટકા વેક્સિનેશનનો તંત્રનો દાવો
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કોરોના કાળમમાં મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ કરી દેવામાં આવી હતી પરતું હવે કોરોના સંક્રમણ ઘટ્યૂ છે ત્યારે ચૂંટણી યોજાશે કે નહીં તેવી અટકળો વહેતી થઈ છે. ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને સુત્રો પાસેથી જાણકારી મળી છે કે આગામી બે કે ત્રણ મહિનામાં મનપાની ચૂંટણી યોજાઈ શકે છે.
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર
ગાંધીનગરમાં કોરોના કેસ ઘટ્યા છે તેમજ 78 ટકા જેટલું વેક્સિનેશન થયું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્થિતિ ચૂંટણી યોજવા જેવી જણાતા મનપાની ચૂંટણી યોજાઈ તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે મહત્વનું છે કે ગાંધીનગર મનપાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે પરતું મનપાનું સંચાલન કરવા હાલ કાર્યકારી વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે ત્યારે નજીકના ભવિષ્યમાં મનપાની ચૂંટણી યોજાઈ તેવા ભણકારા વાગી રહ્યા છે.
મનપાની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાય તેવી સંભાવના
મનપાની ચૂંટણી કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે યોજાઈ શકે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે પરતું ચૂંટણી પંચના હાલ ચૂંટણી યોજાવાના મુડમાં નથી સૂત્રો પાસેથી જાણકારી મળ્યા પ્રમાણે બે મહિના પછી મનપાની ચૂંટણી અંગે જાહેરાત કરી શકાયે છે સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મનપાની ચૂંટણી સપ્ટેમ્બર મહિનામાં યોજાઈ તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.
શહેરના 78 ટકા લોકોને વેક્સિનેશન થયાનો તંત્રનો દાવો
ગાંધીનગર મનપાની સ્થગિત થયેલ ચૂંટણી હાલની સ્થિતિમા યોજાય તેવી સંભાવનાઓ નહિવત જોવા મળી રહી છે. આગામી દોઢ થી બે મહિના સુધી કોરોનાં કેસોની રાજ્યમાં સ્થિતિ નક્કી થયાં બાદ રાજ્ય ચૂંટણી પંચ ચૂંટણી આ અંગે વિચારણા કરી શકે જોકે હાલ રાજ્યમાં નવા કેસ પણ નોંધાઈ રહ્યા છે. તેમજ કોરોનાના નવા વેરીયન્ટ પણ સામે આવી રહ્યા છે તે જોતા ચૂંટણીની શક્યતાઓ નહીવત જોવા મળી રહી છે.