આજે સવારે 11 વાગે PM મોદી 'મન કી બાત'ની મદદથી દેશવાસીઓને ફરી એકવાર સંબોધિત કરશે. આ સંબોધનમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને અને રાજ્યોમાં ખાસ પગલાં લેવા માટેની ચર્ચા કરાશે. આવનારા સમયમાં કોરોના કાબૂમાં લઈ શકાય તે માટેની રણનીતિ અંગે પીએમ મોદી રણનીતિ તૈયાર કરશે. આ માટે તેઓએ અલગ અલગ મોડલનો ઉપયોગ કર્યો છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદીએ છેલ્લી કેટલીક સમીક્ષા મિટીંગમાં દિલ્હીના મોડલને અપનાવવાનો અનુરોધ કર્યો હતો. આક્રમક ટેસ્ટિંગ અને કન્ટેનમેન્ટ ઝોન બનાવીને કોરોનાને રોકવાની રણનીતિ કારગર સાબિત થઈ શકે છે. મળતી માહિતી અનુસાર આજે પીએમ મોદી કોરોનાનો નવો રોડમેપ જણાવશે અને સાથે આવતી કાલે પ્રભાવિત રાજ્યોના સીએમ સાથે ચર્ચા કરશે.
આજે સવારે PM મોદી કરશે 'મન કી બાત'
દેશવાસીઓને કોરોનાની આવનારી સ્થિતિ અને ઉપચાર અંગે કરી શકે છે માહિતગાર
કોરોનાને લઈને નવી રણનીતિની થઈ શકે છે જાહેરાત
આજે 'મન કી બાત'માં દેશવાસીઓને જણાવશે નવો રોડમેપ
प्रधानमंत्री नरेंद्र मोदी कल सुबह 11 बजे अपने रेडियो कार्यक्रम 'मन की बात' के जरिए देश को संबोधित करेंगे। (फाइल तस्वीर) pic.twitter.com/9U4RTeszuB
આજે PM મોદી 'મન કી બાત'માં રેડિયો કાર્યક્રમની મદદથી દેશવાસીઓ સાથે સંવાદ કરશે. તેમાં તેઓ 31 જુલાઈ બાદની અનલોકની પ્રક્રિયાની પણ ચર્ચા કરશે અને આવનારા સમયનો સંકેત આપશે. ઉલ્લેખનીય છે કે અનલોકની પ્રક્રિયાના મિશ્રિત પરિણામો જોવા મળ્યા છે. એક તરફ જ્યાં સંક્રમણની સંખ્યા વધી રહી છે તો અન્ય તરફ આર્થિક ગતિવિધિઓમાં પણ વધારો થઈ રહ્યો છે. એવામાં સંતુલન કઈ રીતે લાવી શકાય તે અંગે પીએમ મોદી ચર્ચા કરશે.
અલગ અલગ રાજ્યો માટે અલગ રણનીતિ થશે તૈયૈાર
बिहार में बाढ़ के कारण 10,61,152 लोग प्रभावित हुए हैं और 15,956 लोग शेल्टर होम्स में रह रहे हैं। राष्ट्रीय आपदा प्रतिक्रिया बल / राज्य आपदा प्रतिक्रिया बल की 22 टीमों को राज्य में तैनात किया गया है :बिहार सरकार pic.twitter.com/AzSa712cRT
મળતી માહિતી અનુસાર પીએમ મોદી આવતીકાલે 3 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે. જેમાં રાજ્યની સ્થિતિ અનુસાર કોમન રણનીતિ કામમાં ન આવવાથી અલગ અલગ રણનીતિ તૈયાર કરાશે. દરેક રાજ્યોના સીએમ સાથે સમીક્ષા બેઠક આવતા અઠવાડિયાથી શરૂ થશે. સૌથી વધુ ચિંતા પૂર્વોત્તર રાજ્યોની છે. બિહાર, પ. બંગાળ જેવા રાજ્યોમાં નવા કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે અને સાથે જ પૂરનો પ્રકોપ પણ તેમને સતાવી રહ્યો છે.