આ વર્ષમાં અત્યાર સુધી 3200 વખત પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આ સાથે જ છેલ્લા પાંચ મહિનામાં 1600 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરાયું છે. કરાર વર્ષે બાદ એટલે કે 2003 બાદ પાકિસ્તાને સૌથી વધારે વખત સીઝફાયરનું ઉલ્લંધન કર્યું છે. આ ઘટનાઓમાં કુલ 41 જવાન શહીદ થયા છે તો એન્ટી ટેરર ઓપરેશનમાં 158 આતંકવાદીઓ ઠાર મરાયા છે.
પાકિસ્તાન દ્વારા વારંવાર કરવામાં આવી રહી છે નાપાક હરકત
આ વર્ષમાં 3200 વખત કરી નાપાક હરકત
16 વર્ષમાં સૌથી વધુ વખત કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન
મળતી માહિતી અનુસાર 778 કિલોમીટરના LOC પર સીમા પારથી સંઘર્ષ વિરામની ઘટનાઓ સતત ચાલુ રહી છે. ખાસ કરીને પૂંછ, ઉરી અને કેરન જેવા વિસ્તારોમાં બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. ગુરુવારે રાતે પણ પાકિસ્તાની સેનાના પૂંછ- રાજૌરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરાયું અને સેનાએ જવાબ આપ્યો હતો. જેમાં કેટલાક પાકિસ્તાની સૈનિક માર્યા ગયા હતા.
આ વર્ષમાં 3200 વખત પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન
આ વર્ષે અત્યાર સુધી યુદ્ધવિરામના ઉલ્લંઘનની ૨૦૦ ઘટનાઓ બની છે, જેણે 2003 થી તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમાંથી છેલ્લા 5 મહિનામાં 1,600 ઘટનાઓ બની છે. ઓગસ્ટમાં 307, સપ્ટેમ્બરમાં 292, ઓક્ટોબરમાં 351 અને નવેમ્બરમાં 304 ઘટનાઓ છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ આ આંકડો 300 ને વટાવી ગયો. તેનાથી વિપરીત, 2017માં 971 વખત અને 2018 માં 1,629 વખત સીઝફાયરનું ઉલ્લંઘન થયું હતું.
મળતી માહિતી અનુસાર આ વર્ષની શરૂઆતમાં જ પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ પર્વતો પર બરફવર્ષા પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓમાં ઘુસણખોરી કરવા માટે બેચેન હતા. ફાયરિંગની આડમાં, આતંકવાદી ઘૂસણખોરી અથવા બોર્ડર એક્શન ટીમની ભયંકર કાર્યવાહી કરવાના પ્રયાસો થયા હતા. જોકે હવે ઘુસણખોરીની ઘટનાઓ ઓછી થઈ છે પરંતુ યુદ્ધવિરામનું ઉલ્લંઘન યથાવત્ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે યુદ્ધવિરામની ઘટનાઓમાં સેનાના 41 જવાન શહીદ થયા છે અને જમ્મૂ કાશ્મીરમાં એન્ટી ટેરર ઓપરેશનોમાં 158 આતંકવાદીઓ ઠાર મરાયા છે.