કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના કોરોના પોઝિટિવ આવ્યા બાદ પક્ષ અને વિપક્ષના તમામ નાના મોટા નેતાઓએ તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસેના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે.
અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ
તમે જલ્દી સાજા થાવ એ જ મારી પ્રાર્થનાઃ રાજનાથ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, અમિત શાહના જલ્દી સાજા થવાની પાર્થના કરું છું.
રક્ષા મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, અમિતજી કોરોના પડકાર સામે વિજય મેળવશે. તમે જલ્દી સાજા થાવ એ જ મારી પ્રાર્થના.
अमितजी, हर चुनौती के सामने आपकी दृढ़ता और इच्छाशक्ति एक मिसाल रही है। कोरोना वायरस की इस बड़ी चुनौती पर भी आप निश्चित रूप से विजय प्राप्त करेंगे, ऐसा मेरा विश्वास है।
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કરીને અમિત શાહના જલ્દી સાજા થવાની કામના કરી છે. જેપી નડ્ડાએ ટ્વિટ કર્યું છે કે, માનનીય ગૃહમંત્રી અમિત શાહે કોરોના સંક્રમિત હોવાના સમાચાર મળ્યા છે. હું ઇશ્વરને તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરું છું.
माननीय गृहमंत्री श्री @AmitShah जी के कोरोना संक्रमित होने का समाचार प्राप्त हुआ। मैं ईश्वर से उनके शीघ्र स्वास्थ्य लाभ की प्रार्थना करता हूँ।
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાથી સંક્રમિત થયા છે. ડૉક્ટરોની સલાહ મુજબ હાલ તેઓ મેદાંતા હોસ્પિટલમાં ભરતી થયા છે. ટ્વીટ કરીને અમિત શાહે આ મામલે માહિતી આપી હતી. તેમજ તેમના સંપર્કમાં આવનાર સૌને આઈસોલેશનમાં રહેવા અને ટેસ્ટ કરાવવા વિનંતી કરી છે. ગૃહમંત્રી અમિત શાહ કોવિડ 19ના આઉટબ્રેકની શરૂઆતથી જ સતત બેઠકો કરી રહ્યા છે અને મોનિટરિંગમાં વ્યસ્ત છે. ખાસ કરીને રાજધાની દિલ્હીમાં સ્થિતિ વધુ વણસી હોવાથી તેઓ અંગત રીતે સતત નજર રાખી રહ્યાં હતા.
આ ઉપરાંત ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકો યોજીને સતત કોવિડ-19ની પરિસ્થિતિ વિશે અપડેટ લેતા હતા. લૉકડાઉન બાદ દેશમાં અનલોકની પ્રક્રિયાને લઈ ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં પણ અમિત શાહની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. અમિત શાહ એક દિવસ પહેલા જ લોકમાન્ય બાલ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથિના આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં એમની સાથે મંચ પર અનેક લોકો હાજર હતા.