ભાજપના રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે રાહુલ ગાંધીની એક ટિપ્પણી વિશે કહ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ત્યારે ચિંતા કરવાની જરૂર હતી, જ્યારે તે કોંગ્રેસમાં હતા.
રાહુલ ગાંધીના નિવેદન પર સિંધિયાનો પલટવાર
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ' બેક બેન્ચર'ની ટિપ્પણી પર આપ્યો જવાબ
રાહુલ ગાંધીને ત્યારે ચિંતા કરવાની જરૂર હતી જ્યારે તે કોંગ્રેસમાં હતા
ભાજપ નેતા સિંધિયાએ રાહુલ ગાંધીની ટિપ્પણીનો જવાબ વાળતા કહ્યું હતું કે તેઓ જ્યારે કોંગ્રેસમાં સામેલ હતા ત્યારે રાહુલ ગાંધીએ ચિંતા કરવાની જરૂર હતી. ખરેખર રાહુલ ગાંધીએ સોમવારે ભારતીય યુથ કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં કહ્યું હતું કે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં રહીને ક્યારેય મુખ્યમંત્રી નહીં બને અને તેમણે કોંગ્રેસમાં પાછા ફરવું જ પડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, "મેં સિંધિયાને કહ્યું હતું કે તમારે સખત મહેનત કરવી જોઈએ, એક દિવસ તમે ચોક્કસપણે મુખ્યમંત્રી બનશો."
સિંધિયાએ આપ્યો આ જવાબ
રાહુલ ગાંધીની ટિપ્પણી અંગે પૂછતાં સિંધિયાએ કહ્યું હતું કે, આ એક અલગ સ્થિતિ બની જાત, અત્યારે રાહુલ ગાંધીને એવું જ લાગી રહ્યું હશે, જેવું તેમને (સિંધિયાને) લાગતું હતું જ્યારે તેઓ કોંગ્રેસના સભ્ય હતા.
મહત્વનું છે કે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની સરકાર ઊથલાવીને સિંધિયા ગયા વર્ષે માર્ચમાં ભાજપ સાથે જોડાયા હતા, ત્યાર પછી કાલે રાહુલ ગાંધીએ પહેલી વાર સિંધિયાને સીધી રીતે ટાંકીને કોઈ મોટું નિવેદન કર્યું હતું, જેમાં કહ્યું હતું કે સિંધિયાની હાલત હાલમાં ભાજપમાં બેક બેન્ચર જેવી થઈ ગઈ છે. જેનો જવાબ આપતા સિંધિયાએ કહ્યું હતું કે કાશ રાહુલ ગાંધીએ ત્યારે તેમની ચિંતા કરી હોત જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા.
ભાજપે પણ સાધ્યું નિશાન
આ સાથે જ ભાજપે પણ રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ રાહુલ ગાંધીને રાજસ્થાનમાં સચિન પાઇલટને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. ટ્વિટર પર પણ સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાની માંગણી ટ્રેન્ડ કરી રહી છે. ભાજપે કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વરરાજા તરીકે કોઈ બીજાને પ્રોજેક્ટ કર્યા હતા જ્યારે કે લગ્ન કોઈ બીજા સાથે જ કરાવી દીધા હતા, વધુમાં કોંગ્રેસ પર પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે જે લોકો બે વર્ષથી રાષ્ટ્રીય અધ્યક્ષ નથી બનાવી શકતા, તેઓ મુખ્યમંત્રી બનાવવાની વાતો કરી રહ્યા છે.