બેંગ્લોરની આઈટી કંપની Wiproએ પોતાના કર્મચારીઓને ઓફિસ પરત બોલાવવા માટે મેલ મોકલ્યો છે.
બેંગ્લોરની આઈટી કંપની Wipro પોતાના એમ્પ્લોયઝને સપ્ટેમ્બરથી ઓફિસ પરત બોલાવી શકે છે. કંપનીના ચીફ HR સૌરભ ગોવિલે આ વિશે જાણકારી આપી છે.
આ કહ્યું વિપ્રોના HRએ
Wiproના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર સૌરભ ગોવિલે કહ્યું કે 'એમ્પ્લોયઝને ઓફિસ બોલાવવાનું કામ અલગ અલગ દેશોમાં કોરોના મહામારીના અલગ અલગ સ્ટેજ પર આધાર રાખે છે. સાથે જ કોરોનાની ત્રીજી લહેર અને વેક્સિનેશની સ્થિતિનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ બિલકુલ પણ બધા માટે એક જેવો નિયમ લાવવા વાળી વાત નથી. '
વિપ્રોના 2 લાખ એમ્પ્લોયઝ
Wiproના એન્યુઅલ રિપોર્ટના હિસાબથી 30 જૂન 2021 સુધી કુલ એમ્પ્લોયઝની સંખ્યા 2 લાખથી વધુ છે. કંપનીના ચેરમેન રિશદ પ્રેમજીએ વિપ્રોની 75મી વાર્ષિક મિટિંગમાં કહ્યું હતું કે અત્યાર સુધી તેના 55% એમ્પ્લોયઝને કોવિડ-19ની વેક્સિન લગાવી દેવામાં આવી છે.
જેમણે કહ્યું કે ભારતમાં કંપનીના 55% કર્મચારીઓએ વેક્સિન લઈ લીધી છે. તેની સાથે જ કંપનીની તરફથી એમ્પ્લોયઝને ઓફિસ બોલાવીનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કંપની એમ્પ્લોયઝને વેક્સિન લગાવવા માટે પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે.
સપ્ટેમ્બરથી થશે સેલેરી હાઈક
આટલું જ નહીં અજીમ પ્રેમજીની આ કંપનીએ જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બર 2021થી તે પોતાના જુનિયર લેવલના એમ્પ્લોયઝને સેલેરી હાઈક પણ આપશે. કંપનીની ટોટલ વર્કફોર્સમાં 80% જુનિયર લેવલના એમ્પ્લોયઝ છે.